નિવૃત મેડિકલ ઓફિસર ડો.પી.જી. પંડયા માર્ગદર્શન આપશે
નેશનલ યુથ પ્રોજેકટના રાહબર સ્વ. ડો.એસ.એન. સુબ્બારાવની પુણ્ય સ્મૃતિમાં નેશનલ યુથ પ્રોજેકટ દ્વારા નિ:સંતાન દંપતિ માટે નિ:શુલ્ક મેગા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન તા.15મીએ શનિવારે સવારે 10 થી 12, 113-મારૂતિનંદન કોમ્પ્લેક્ષ, પહેલા માળે, ગેલેકસી હોટલ સામે, જવાહર રોડ, રાજકોટ ખાતે, રાજેશ જે. ભાતેલીયા (ભારત જોડો 9000 કિ.મી. સાયકલ યાત્રી, વરસાદી પાણીનો સંગ્રહ અને તેને જમીનમાં ઉતારવાના કાર્યના હિમાયતી) ના માર્ગદર્શન હેઠળ કરાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
કેમ્પને સફળ બનાવવા દર્શિત આર. ભાતેલીયા, સરયુ એસ. તન્ના વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. કેમ્પમાં 45 વર્ષના અનુભવી નિવૃત મેડીકલ ઓફીસર ડો.પી.જી. પંડયા નિ:સંતાન દંપતિઓને નિ:શુલ્ક નિદાન કરી, વિનામુલ્યે માર્ગદર્શન આપશે. નિ:સંતાન દંપતિઓને કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.
Read About Weather here
આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે અમિત આર. ચૌહાણ જહેમત ઉઠાવી રહયા છે તેમ વહિદ મારફાણીની યાદી જણાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here