મનપાના અધિકારીઓની બદલી હવે નક્કી?

મનપાના અધિકારીઓની બદલી હવે નક્કી?
મનપાના અધિકારીઓની બદલી હવે નક્કી?

16 અધિકારીઓ તો છેલ્લા પાંચ વર્ષથી એક જ સ્થળે કાર્યરત છે તેની નિયમ મુજબ બદલી થવી જ જોઇએ, આ મામલે કમિશ્ર્નરનું પણ ધ્યાન દોરીશ : સાસંદ મોકરીયા
છેલ્લા ત્રણ વર્ષથી એક જ હોદ્દા પર હોય એવા અધિકારીઓની સંખ્યા 107 જેટલી છે!!
વર્ષોથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી થવી જોઇએ:
સાસંદ રામભાઇ મોકરીયા
અલ્પના મિત્રા પાંચ વર્ષથી આવાસ યોજના વિભાગમાં જ કાયમી ફરજ પર! મનસુખભાઈ સાગઠીયા ટીપી શાખામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સિવિલ તરીકે વર્ષોથી ફરજ બજાવે છે પણ ટીપી સ્કીમમાં આવતા એકપણ નિયમનું પાલન થતું નથી :ચર્ચા
16 અધિકારીઓ તો પાંચ-પાંચ વર્ષ થયા એકજ સ્થળે કાર્યરત હોવા પાછળનાં કારણો સર્જી રહ્યા છે રહસ્યનાં વમળો
મનપામાં લાંબા સમયથી ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી થશે ??
જૂઓ આ કોષ્ટક:
1.અલ્પના મેહુલ મિત્રા (સીટી એન્જીનીયર સ્પેશયલ) આવાસ વિભાગ
2.સાગઠીયા મનસુખ ડી. ( આસી.ટાઉનપ્લાનીંગ સીવીલ-ટીપી શાખા)
3.અમિતકુમાર ચોલેરા (આસી./સાંસ્કૃતિક વિકાસ વિભાગ)
4.રાજુ.બી.અજેશ (આસી.એન્જીનીયર સિવિલ-જેએનએનયુઆરએમ)

મયુર ખીમસુરીયા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)આકાશ એન. પરમાર (આસી. એન્જીનીયર સિવિલ-ડ્રેનેજ)
7.વિવેક આર. મહેતા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)
8.ભરતકુમાર બોલાણીયા (ડે.એક્સ ઇનજેર સિવિલ-બાંધકામ)
9.હર્ષલ જી.દોશી (આસી.એન્જી. સિવિલ-ટીપી)
10.ઇમરાન એસ. ડેલા (આસી.એન્જી. સિવિલ-બાંધકામ)
11.વિપુલકુમાર એમ. મકવાણા (ડે.એક્સ એન્જી. સિવિલ-ટીપી)
12.મેહુલ એ. રાઠોડ (આસી.એન્જી સિવિલ-આવાસ યોજના)
13.મૌલીક જે.ટાંક (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
14.જતીન એમ. ગેડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
15.વિશાલ એમ.વાગડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
16.ધીરેન નટવરસિંહ કાપડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)

રાજકોટ મહાનગરપાલિકામાં ડઝનથી વધુ અધિકારીઓ ચોક્કસ હોદ્ાઓ પર પાંચ-પાંચ વર્ષથી ચિપકી રહયા છે અને અન્યો અનેક અધિકારીઓ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી કેટલાક હોદ્ાઓ પર યથાવત રહયા હોવાથી રાજકોટ શહેરમાં અને જાણકાર વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા, અનુમાનો અને અટકળોના પવન ફુંકાવવા લાગ્યો છે. રહસ્યમય રીતે મનપસંદ અને મલાઇદાર હોદ્ાઓ પર આવા અધિકારીઓ કયાં કારણોસર અઠ્ઠે દ્વારકા કરવામાં અત્યાર સુધી સફળ થયા છે. તેના કારણો રહસ્યના વમણો સર્જી રહયા છે. જાણકાર વર્તુળોમાં અંદરખાને જોરશોરથી એવી ચર્ચા થતી પણ સંભળાય છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારી ખાતાઓમાં મોટા ભાગે ત્રણ વર્ષના ગાળાબાદ બદલી કરવાની હોય છે પરંતુ મનપામાં કોઇ અકળ કારણોસર સરકારના આ નિયમને ધોળીને પી જવાયો હોય એવું અધિકારીઓના હોદ્ાઓના વર્ષોનું કોષ્ટક જોતા સ્પષ્ટ નજરે તરી આવે છે. મલાઇદાર અને મનપસંદ હોદ્ાઓ પર ચોક્કસ અધિકારીઓને નિયમની ઐસીતૈસી કરીને બેસાડી રાખવા પાછળ કોના આર્શીવાદ છે, કોના કયાં પ્રકારના હિત સમાયેલા છે? એ જાણવાનો રાજકોટની જનતાને અધિકાર છે. પરંતુ અત્યારે તો આ વિષય પર મગનું નામ મરી પાડવા કોઇ તૈયાર થતું નથી અને રહસ્ય ધેરાતુ જાય છે.

કોણ, કયાં, શા માટે જેવા સવાલો અને તેના જવાબો શોધવાની કડાકુટમાં પડયા વિના અત્યારે આપણે મુળ વિષય પર નજર નાખીએ. કયાં અધિકારીઓ કયાં કયાં હોદ્ા પર કેટલા સમયથી ફરજ બજાવી રહ્યા છે, તેના પર દ્રષ્ટિપાત કરવાનું રસપ્રદ થઇ પડશે અને લોકોને પણ મનપામાં ચાલી રહેલી વહીવટની રીતરસમો વિશે ખ્યાલ મેળવવાની તક મળશે. દેખાય છે એ બધુ રૂડુ અને રળીયામણુ નથી.

અનેક ભેદ, ભરમો મનપાની કચેરીઓના ખુણેખુણે અને ટેબલે ટેબલે નજરે તરી આવે છે. પરંતુ તેનો તાગ મેળવવાની આમ જનતાને તો કોઇ ફુરસદ ન હોય એ સ્વભાવિક છે. એટલે જાણકારો અને જવાબદાર મીડિયા ખાંખાંખોળા કરતા રહે છે અને આ ધમ્મર વલોણામાંથી આંખો પહોળી કરતી ઘટનાઓ અને હકીકતો બહાર આવે છે. જેનું તાજુ ઉદાહરણ મનપામાં મનપસંદ હોદ્ાઓને ગળે લગાડવાની રીતરસમ છે.

આ અંગે સાસંદ રામભાઇ મોકરીયાનું ધ્યાન દોરતા તેઓએ જણાવ્યું હતું કે આ કોઇપણ રીતે વ્યાજબી વાત ગણી શકાય નહીં એકના એક ટેબલે 3 વર્ષથી વધુ રાખવામાં આવે જ નહીં 3 વર્ષ જેટલો સમય થાય એટલે તરત જ બદલી થવી જ જોઇએ અને રાજકોટની જનતાને તેનો જવાબ મળશે કોઇ સાથે અન્યાય ચલાવી લેવામાં નહીં આવે અને આ મુદા પર કમિશ્ર્નરનું ધ્યાન દોરાશે અને બદલી શું કામ નથી કરાઇ અથવા તો કયારે કરાશે તેની માહિતી પણ મંગાશે અને બદલી કરવાનું સુચન પણ કરવામાં આવશે. મનપાના અધિકારીઓના કાર્યકાળનો અભ્યાસ કરતા દેખાય આવે છે

કે, 16 અધિકારીઓતો પાંચ-પાંચ વર્ષથી એકની એક જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય રીતે ત્રણ વર્ષે બદલી કરવાની હોય છે. પરંતુ આ અધિકારીઓના ચોક્કસ હોદ્ાઓ પર લાંબા સમયનો આવાસ અને નિવાસ રહસ્યના તાણાવણા સર્જે છે. અલ્પનાબેન મિત્રા નામના એક અધિકારી સિટી એન્જીનીયર છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી આવાસ યોજના વિભાગમાં જ કામગીરી કરી રહ્યા છે. 16 અધિકારીઓ એવા છે

Read About Weather here

જે પાંચ-પાંચ વર્ષથી એક જ હોદ્ા પર બરાબર ચીપકીને બેઠા છે. કહેવાય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી એક જ હોદ્ા પર બરાબર ચિપકીને બેસી ગયા હોય એવા અધિકારીઓની સંખ્યા તો 107 જેટલી છે. અધિકારીઓ તો એવા વહેમમાં રાચે છે કે, એમની સામે ગમે તેટલા આક્ષેપ થાય પગલા લેવાનું તો બાજુએ રહયું, કોઇ એમની ટચલી આંગળી પણ વાંકી કરી શકે તેમ નથી અને આ હકીકત ભલે પીડા દાયક છે પણ આ વાસ્તવીકતા તેનું વરવુ રૂપ બતાવીને મનપામાં આવનારા તમામ રૂપ બતાવીને અટ્ટહાસ્ય કરી રહી છે એ હકીકત નિશ્ર્ચિત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here