અક્ષરનીધી શરાફી મંડળીના ડિરેક્ટરે પોતાના પિતરાઈ ભાઈ પાસેથી લીધેલ રકમ ન ચૂકવતા થયેલ ફરીવાદમાં આરોપીને કોર્ટનું તેડુ
શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ અક્ષરનીધી શરાફી મંડળીના ડિરેકટર રાઈસમાર સામંતભાઈ ચાવડા એ પોતાના પિતરાઈ ભાઈ પાસેથી લીધેલ રૂપીયા 36,50,000 પરત ચૂકવવા આપેલ ચેક રીટર્ન થતા આરોપી ને અદાલતમાં હાજર રહેવા હૂકમ ફરમાવેલ છે.
આ કેસની વિગત એવી છે કે રાજકોટ ખાતે એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા જે. એમ. વાડીયા એ પોતાના જ પિતરાઈ ભાઈ રાજેશકુમાર સામંતભાઈ ચાવડાને નાણાંની જરૂરીયાત ઊભી થતા પોતાના પિતરાઈ માઈ તેમજ આ કામના ફરીવાદી પાસેથી રકમ હાથ ઉછીની લીધેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
રાજેશકુમાર ચાવડા એ પોતાના જરૂરીયાત માટે રૂપીયા 3,50,000 આ કામના ફરીયાદી પાસેથી હાથ ઉછીના લીધેલ હતા અને રકમ સ્વીકારતા સમયે આરોપીએ ફરીયાદી રકમ રૂપીયા 3,50,000નો ચેક પોતાની સહી કરી આપેલ હતો. ચેક પરત ફરતા ફરીયાદીએ એડવોકેટ મારફત આરોપી રાજેશકુમાર સામતભાઈ ચાવડાને રકમ ચૂકવી આપવા નોટીસ પાઠવી હતી. જે નોટીસ બજી ગયેલ હોવા છતા આરોપીએ રકમ પરત કરવામાં આવેલ ન હતી આપી ફરીયાદીએ રાજેશ સામતભાઈ ચાવડા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરિયાદ દાખવે કરવાની જરૂરીયાત ઉપસ્થીત થયેલ હતી.
ફરિવાદી તરફે રજૂ થયેલ તમામ દસ્તાવેજો તથા પુરાવાઓને ધ્યાને લઈને અદાલતે આરોપી રાજેશકુમાર સામતભાઈ ચાવડા ને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હકમ કરેલ છે.
Read About Weather here
આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, દેવલ પટેલ, હાર્દિક શેઠ, જાપાલિસા જાડેજા, પશ વૈષ્ણવ, વિરમ ઘરાંગીયા, ઈશાન બટ રોકાયેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here