7.6 કિલો ગાંજાનો જથ્થો પકડી જ્યાં પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં મળી આવેલા આરોપીઓ પૈકીના એક એવા જંગલેશ્ર્વરના રિક્ષાચાલક જામીન મુક્ત થવા અદાલત સમક્ષ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર કરી છે
કેસની હકીકત મુજબ ભક્તિનગર પોલીસે બાતમીના આધારે જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતી ગુડડી ઉર્ફ રોશને સુરતથી માદક પદાર્થ નો જથ્થો વેચાણ કરવાના હેતુથી શેરખાન પઠાણ તથા જાહેર આદમાણી મારફતે મંગાવેલ છે
Visit Saurashtra Kranti Homepage here
પોલીસે બાતમી મુજબ રીક્ષા કોર્ડન કરી લેવાનો પોલીસ અધિકારીએ ઈશારો કરતા આ રીક્ષા કોર્ડન કરી ઉભા રહેવાનો ઈશારો કરતા રીક્ષાનો ડ્રાઈવર રીક્ષા સાઈડમાં ઉભી રાખી નાસી ગયેલ અને પાછળ સીટ માં બેસેલ ઈસમોનુ નામઠામ પૂછતા બાતમી મુજબના નામ વાળા ઈસમો હતા અને રિક્ષાચાલકનું નામ અફઝલ મોહમ્મદભાઈ બેલીમ જણાવેલ હતું
ત્યારબાદ બંને ઇસમો પાસે રહેલ થેલામાંથી 7.6 વજનનો ગાંજો મળી આવતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી હતી. જેથી આ ચારેય આરોપીઓની અટક કરી રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ સમય પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને રાજકોટ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા
Read About Weather here
આમ આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઈ જતા અફજલ મોહમ્મદભાઈ બેલીમ રહે જંગલેશ્વર વાળા એ પોતાના એડવોકેટ મારફત જમીન મુક્ત થવા માટે રાજકોટ સ્પેશ્યલ એન. ડી.પી. એસ કોર્ટ સમક્ષ જામીન મુક્ત થવા માટે જામીન અરજી કરેલ હતી જે અન્વયે આરોપીઓ વતી રોકાય એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ તો આ કામે આરોપી વતી એડવોકેટ રણજીત એમ. પટગીર તેમજ સાહીસ્તાબેન એસ. ખોખર રોકાયેલ હતાં
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here