રાજકોટ: આ બનાવની વિગત એવી છે કે કાલાવડ રોડ ઉપર કોટેચા ચોકમાં આવેલી રાજકોટ નાગરીક બેંકની શાખામાંથી 60 લાખની ઉચાપતના કેસમાં બ્રાઇમ બ્રાન્ચ પોલીસે બ઼ેંકના ડેપ્યુટી ચીફ મેનેજરશ્રી રવિ દિલીપભાઇ જોષી એ એકના ડબલ નાણા કરવાની લાલચમાં મિત્ર ભવ્યેશ ભોગીલાલ માંડાણી સાથે મળી બેંકમાંથી 60 લાખની ઉચાપત કરેલ હતી.
જે કામે પોલીસે ઉપરોકત બંને આરોપી તથા અન્ય સાહીબખાન નસીબખાન મલેક વિગેરેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તેઓ જેલ હવાલે થયેલ હતા. બચાવપક્ષે આરોપીના એડવોકેટ અમીત એન. જનાણાીએ પોતાની દલીલમાં જણાવેલ કે આ કામે સાહીરખાન નસીબખાન વિગેરે-3 આરોપીઓને અગાઉ ધરપકડ કરી 1 દિવસના રીમાન્ડ પર લીધેલ.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ રીમાન્ડ પુરા થતાં તે જેલ હવાલે થયેલ ત્યારે પોલીસે કે સરકારી વકીલએ તેઓના વધભુ રીમાન્ડ માટે અત્રેની અદાલતમાં કે સેશન્સ અદાલતમાં કોઇ અરજી કરેલ નથી અને હાલ માત્ર જે ચાર આરોપીઓ પકડાયેલ છે તેની પુછપરછના આધારે માત્ર અગાઉ પકડાયેલ આરોપીઓને રીમાન્ડ માટે દિન-પ ની માંગણી કરેલ છે.
Read About Weather here
જેથી રીમાન્ડ અરજી રદ કરવા જણાવેલ છે. ઉપરોકત દલીલોને ધ્યાને લઇ અદાલતે આરોપી સાહીબખાન નસીબખાન મલેકના દિન-પ માં પોલીસ રીમાન્ડ પર લેવાની અરજી નામંજુર કરેલ. (રદ કરેલ છે.) આ કામમાં આરોપી સાહીરખાન નસીબખાન મલેક વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here