રાજકોટ શહેર ભાજપનાં અભ્યાસ વર્ગથી પક્ષનાં વિકૃત સંસ્કાર જોવા મળ્યા: રાજભા ઝાલા

રાજકોટ શહેર ભાજપનાં અભ્યાસ વર્ગથી પક્ષનાં વિકૃત સંસ્કાર જોવા મળ્યા: રાજભા ઝાલા
રાજકોટ શહેર ભાજપનાં અભ્યાસ વર્ગથી પક્ષનાં વિકૃત સંસ્કાર જોવા મળ્યા: રાજભા ઝાલા

ધર્મ અને સંસ્કૃતિનાં ઠેકેદાર હોવાનો દાવો કરતા ભાજપનું અસલી ચરિત્ર પ્રદર્શિત થયું

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ સંગઠન મંત્રી અને લડાયક સ્પષ્ટ વક્તા નેતા રાજભા ઝાલાએ એક અખબારી નિવેદનમાં એવી આકરી ટકોર કરી છે કે, રાજકોટ શહેર ભાજપનાં અભ્યાસ વર્ગનાં વાયરસ વિડીયોથી ભાજપનું અસલી ચરિત્ર પ્રદર્શિત થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ધર્મ અને સંસ્કૃતિનાં ઠેકેદાર હોવાનો દાવો કરનાર પક્ષનાં વિકૃત સંસ્કારો સામે આવ્યા છે.રાજભા ઝાલાએ નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપનાં આગેવાન એવું કહેતા હોય છે કે, અમારી કેડર બેઇઝ પાર્ટી સમયાંતરે કાર્યકરોનાં ઘડતર માટે પ્રશિક્ષણ આપીને તેમનામાં સંસ્કારો અને રાષ્ટ્ર ભક્તિનું સિંચન કરે છે.

પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ કાર્યકર્તાનાં વ્યવહારો અને તેમના કાંડ જાહેર થાય ત્યારે આશ્ચર્ય થાય છે કે ભાજપ તો સંસ્કારી પાર્ટી છે. તેના કાર્યકર્તાનું નૈતિક અધ:પતન થાય તે વાત ગળે ન ઉતરે,

પરંતુ રાજકોટનાં પ્રશિક્ષણ વર્ગનાં વલ્ગર ડાન્સ અને ભુવા ધુણવાના ડ્રામા કરતો વિડીયો વાયરલ થયો ત્યારે સ્પષ્ટ સમજાઈ ગયું કે ભાજપમાં હવે પ્રશિક્ષણ વર્ગમાં પણ વલ્ગારીટી તથા વિકૃત મનોરંજન મેળવવાના પીરીયડ હોય છે.

Read About Weather here

આ રીતે ભાજપનું અસલી ચરિત્ર લોકો સમક્ષ આવી ગયું છે.તેમણે લોકોને ભાજપ કાર્યકરોનાં કુસંસ્કાર તથા વિકૃત માનસિકતાને ઓળખી લેવા લોકોને અપીલ કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here