આજથી 31 ડિસેમ્બર સુધી રાતનાં 11 થી સવારનાં 5 સુધી કર્ફ્યું
ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનાં બેવળા જોખમને ધ્યાનમાં રાખીને રાજકોટ સહિત 8 મહાનગરોમાં લાગુ નાઈટ કર્ફ્યું વધુ લંબાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ કર્ફ્યુંનો સમય પણ ફરી વધારી દેવામાં આવ્યો છે. તેમ રાજ્યનાં ગૃહ વિભાગમાં નવા જાહેરનામામાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે તા.25 થી 31 ડિસેમ્બર સુધી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં હવેથી રાત્રી કર્ફ્યું રાતનાં 11 થી સવારનાં 5 સુધી અમલમાં રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા અને એ મુજબ અમલ કરવા તાકીદ કરવામાં આવી છે.
Read About Weather here
ગૃહ ખાતાનાં આદેશ મુજબ આ તમામ 8 મહાનગરોમાં તમામ દુકાનો. રેસ્ટોરાં, વાણિજ્ય સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, અઠવાડિક ગુજરી બજાર, હેર કટિંગ સલુન, બ્યુટી પાર્લર વગેરે રાતનાં 11 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. માસ્ક અને સામાજીક અંતર વગેરેનાં નિયમો પણ યથાવત અમલમાં છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here