ગુટલીબાજ સાંસદોને ભાજપ મોવડીઓની સાફ ચેતવણી
ભાજપનાં સભ્યોની હાજર ન રહેવાની હઠથી નારાજ વડાપ્રધાન
સંસદનાં બંને ગૃહોમાં ભાજપનાં સાંસદોની ઓછી હાજરી તરફ હવે ભાજપનાં મોવડીઓનું ધ્યાન ખેંચાયું છે અને સખ્ત નારાજ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે,
Visit Saurashtra Kranti Homepage here
આગામી ચૂંટણીઓમાં પક્ષની ટીકીટ વિતરણનાં માપદંડમાં સંસદમાં પક્ષનાં સભ્યની હાજરી પણ એક માપદંડ તરીકે સામીલ કરવામાં આવશે. આ રીતે વડાપ્રધાને આડકતરી ચેતવણી આપી દીધી છે કે જે નહીં બદલાય તેને બદલી નાખવામાં આવશે.
પક્ષને સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ચોખ્ખા શબ્દમાં જણાવ્યું હતું કે, સભ્યોને સંસદમાં નિયમિત હાજરી આપવા હું કાયમ અનુરોધ કરતો રહ્યો છું. તમે બાળકો નથી કે મારે વારંવાર કહેવું પડે.
તમે તમારી જાતને બદલી નાખો તો સારું નહીંતર હવે ભવિષ્યમાં ખૂબ જ બદલાવ લાવવામાં આવશે. ભાજપનાં સાંસદોને વારંવાર કહેવાયા છતાં ઘણા બધા સાંસદો અવારનવાર ગેરહાજર રહેતા હોય છે. તેનાથી વડાપ્રધાન ખૂબ વ્યથિત થઇ ગયા છે.
વડાપ્રધાને એવું પણ જણાવ્યું હતું કે, મારે સભ્યોને એમની ફરજો અને જવાબદારીનું અવારનવાર ભાન કરાવવું પડે એવું થવું ન જોઈએ. એમણે ખૂદ નિષ્ઠા બતાવવી જોઈએ. વર્તમાન શિયાળુ સત્રમાં સભ્યોની હાજરી ઓછામાં ઓછી રહી છે.
Read About Weather here
રાજ્યસભામાં સૌથી ઓછી હાજરી જોવા મળી છે. કેટલીક વખત તો કોરમનાં અભાવે કામગીરી પણ પડતી મુકવી પડી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here