રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ આંખે ઊડીને વળગે છે, કારણ કે, હોમટાઉનમાં પ્રદેશ પ્રમુખ પધાર્યા છે ત્યારે રૂપાણી રાજકોટ છોડી બહાર નીકળી પડ્યા છે. રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી, મીડિયા એની રીતે ચલાવે છેઃ મોકરિયાનો યુટર્ન
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલા જૂથવાદના વિવાદોમાં આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ત્રણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યા છે. શું ઠપકાનો ડર? એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.
રૂપાણી સુરતમાં દિક્ષા મહોત્સવ અને વ્હોરા સમાજના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જોકે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ સીધું કહી દીધું કે જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે છે.
બીજી તરફ વજુભાઈ બહાર હોવાની વાત સામે આવી હતી તો શું અચાનક વજુભાઈ રાજકોટમાં પ્રગટ થયા કે શું? કારણ કે પાટીલ તેમના ઘરે ગયા તો વજુભાઈ હાજર હતા અને તેમણે કહ્યું હતું
કે રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી જોકે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો છે, કારણ કે એક તરફ સુરતના પાટીલ રાજકોટ આવી રહ્યા છે
Read About Weather here
ત્યારે બીજી તરફ રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા નીકળી ગયા છે, આથી બંને એક મંચ પર દેખાશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here