ખેડૂતો અને આમ આદમી લાભથી વંચિત રહી જતા દેકારો
બજારના વર્તુળોએ જણાવ્યુ છે કે સરકારે સીપીઓ પર આયાત ડયુટી પર 13 રૂા. કિલોની બરાબર ઘટાડો કર્યો છે, પરંતુ ગ્રાહકોને પ્રતિ કિલો પર માત્ર 3થી 4 રૂા.ની રાહત મળી રહી છે
Visit Saurashtra Kranti Homepage here
અને આનાથી ખેડૂતોને પણ કોઈ મોટો ફાયદો થતો નથી. દિવાળી પહેલા ખાદ્યતેલના વધતા ભાવોને નિયંત્રણમાં લેવા માટે મોદી સરકાર દ્વારા આયાતી ડયુટીમાં કરવામાં આવેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકો એટલે કે વપરાશકારોને મળતો નથી.
દિલ્હીની બજારોમાં વિવિધ ખાદ્યતેલના ભાવોમાં તેજી જોવા મળી હતી.સૂત્રોનું કહેવુ છે કે સરકારે આયાતડયુટી ઘટાડવાના બદલે 80 અને 90ના દાયકાની જેમ ગરીબોને ઉંચા ભાવોથી રાહત આપવા માટે આયાત કરીને
દુકાનો પરથી વેચવા વિચારવુ જોઈએ કારણ કે આયાતડયુટી ઘટાડવાથી ગ્રાહકો અને ખેડૂતોને કોઈ ફાયદો નથી થતો અને ફાયદો માત્ર વિદેશી કંપનીઓને જ થાય છે.
બજારના વર્તુળોએ જણાવ્યુ છે કે આયાત ડયુટી ઘટાડવાનો ફાયદો ખેડૂતો અને ગ્રાહકોને મળતો નથી. ફાયદો માત્ર વિદેશી કંપનીઓને જ મળી રહ્યો છે. કેટલાક આયાતકારો વિદેશોથી ઓછી આયાત ડયુટીવાળા કાચા પામતેલ એટલે કે સીપીઓમાં પામોલીન મળીને મંગાવ્યા બાદ ઉંચા દરે વેચી રહ્યા છે.
Read About Weather here
સીપીઓ પર જ્યાં આયાત ડયુટી 8.25 ટકા છે તો પામોલીન પર આ ડયુટી 17.5 ટકા છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here