લોટરી બજારમાં ઝેરી દવા પીનાર સીતારામ આવસના યુવકનું મોત
શહેરના જ્યુબિલી શાકમાર્કેટમાં ચાર માસ પૂર્વે અમદાવાદમાં માવતરે ચાલી ગયેલી પત્નીના ત્રાસથી કંટાળી સીતારામ સોસાયટીના વણકર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ મવડીમાં જીવરાજ પાર્ક પાસે આવેલી સીતારામ ટાઉનશીપમાં રહેતા કલરકામની મંજૂરી કરતા મહેન્દ્ર જેસિંગભાઇ સોલકી ( ઉ.વ ૩૫) એ લોટરી બજારમાં ઝેરી દવા પી તેના કૌટુંબિક કાકા અશોક દાફડાને જાણ કરી હતી.જેથી કોંગ્રેસી નેતાએ ઘટના સ્થળે દોડી જઇ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પરંતુ ચાલુ સારવાર દરમિયાન વણકર યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ આર.આર.સોલકીની ટીમે મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો હતો.
Read About Weather here
વણકર યુવાનની પત્ની કાજલએ ચાર માસથી અમદાવાદ માવતરે ચાલી ગઈ હતી. અવાર નવાર થતા ઝગડાથી કંટાળી યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું ખુલ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here