કણકોટ પાસે ક્રિસ્ટલ એવનમાં આર્થિકભીંસથી કંટાળી દંપતીનો સજોડે ગળાફાસો ખાઈ આપઘાત

કણકોટ પાસે ક્રિસ્ટલ એવનમાં આર્થિકભીંસથી કંટાળી દંપતીનો સજોડે ગળાફાસો ખાઈ આપઘાત
કણકોટ પાસે ક્રિસ્ટલ એવનમાં આર્થિકભીંસથી કંટાળી દંપતીનો સજોડે ગળાફાસો ખાઈ આપઘાત

તાલુકા પોલીસે બન્ને મૃતદેહોને પી.એમ અર્થે ખસેડયા ; બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

શહેરના કણકોટ રોડ પર ક્રિસ્ટલ એવનના 12 માં માળે રહેતા દરજી દંપતીએ આર્થિક સંકડામણ થી કંટાળી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

પ્રાપ્ત વિગતો મુજબ કણકોટ રોડ પર ક્રિસ્ટલ એવનના 12 માં માળે રહેતા ગોપાલભાઈ પોપટભાઈ ચાવડા ( ઉ.વ 60) એ પોતાની પત્ની નિર્મળાબેન ચાવડા ( ઉ.વ 58 ) સાથે આર્થિક સંકડામણથી કંટાળી પોતાના ઘરે પંખામાં દુપટો બાંધી સજોડે આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પાડોશીને જાણ થતાં ન્યુ માયાણી નગરમાં રહેતા પુત્રને જાણ કરી હતી. આપઘાતના બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ મોરવાડિયાની ટીમે દોડી જઇ દંપતીના મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

Read About Weather here

મૃતક દરજી પ્રોઢે બાલાજી હોલ પાસે કપડાંનું કારખાનું ધરાવતા હતા.છૂટક અને જથ્થાબંધ કાપડ વહેંચી ઘરનું ગુજરાન ચલાવતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here