રાજકોટમાં સોમનાથ થી વી.આર.રાઠોડ અને દ્વારકાથી વી.આર.વાગડીયાને મુકાયા; જૂનાગઢ-મોરબી, જામનગર-અમરેલીમાં પણ બદલીનો ઘાણવો નીકળ્યો
રાજ્યના 27 બીન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ ડીજીપી આશિષ ભાટીયાએ કર્યો છે. જેમાં રાજકોટ શહેરના એક પીઆઇનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ શહેરમાં ગીર સોમનાથ અને દેવભુમિ દ્વારકાના બે પીઆઇની બદલી સાથે નિમણુંક થઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચના પીઆઇ એસ. એન. ગડુને ગાંધીધામ પુર્વ કચ્છ ખાતે મુકવામાં આવ્યા છે.જ્યારે ગીર સોમનાથના વી.આર. રાઠોડ તથા દેવભૂમિ દ્વારકાના વી.વી.વાગડીયાને રાજકોટ શહેરમાં નિમણુંક અપાઇ છે.
આ ઉપરાંત એસીબીના પી.ડી.બારોટને જીઇબી, સીઆઇડી ક્રાઇમના કે. બી. રાજવીને અમદાવાદ સીટી, બનાસકાંઠાના કે.એસ.ચૌધરીને અમદાવાદ સીટી, જુનાગઢના પી. એન.ગામેતીને સાબરકાંઠા, જીઇબીના આઇ.ટી.દેસાઇને અમદાવાદ સીટી, સુરતના આર. એન. પટેલને અમદાવાદ રિડર, નવસારીના એમ. બી. રાઠોડને સુરત શહેર, વડોદરાના એ.કે.વડીયાને ભરૂચ,
મોરબીના એચ. એન. રાઠોડને અમદાવાદ સીટી, પાટણના ડી. વી. ડોડીયાને બનાસકાઠા, જામનગરના એસ. એચ. રાઠવાને વડોદરા, સીઆઇડી ક્રાઇમના એ. પી. પરમારને અમદાવાદ શહેર, એન. કે. રાઠવાને વડોદરા ગ્રામ્ય, જે.જે. વસાવાને વડોદરા શહેર, ગાંધીનગરના ડી. જી. તડવીને વડોદરા ગ્રામ્ય, સુરતના યુ. એ. ડાભીને અમદાવાદ સીટી,
અમરેલીના જી.આર.રબારીને પાટણ, પશ્ર્ચિમ કચ્છ ભુજના પી. એચ. લખધીરકાને મોરબી, ખેડાના પી. બી. સંઘાણીને સીઆઇડી ક્રાઇમ, મહેસાણાના પી.એ.પરમારને દેવીભુમિ દ્વારકા, ખેડાના એચ. સી. ઝાલાને અમદાવાદ સીટી, ઇન્ટેલીજન્સના જે. બી. અસોડીયાને બનાસકાંઠા તથા જી. પી. પરમારને અમદાવાદ ગ્રામ્યમાં તેમજ સીઆઇડી ક્રાઇમના આર. બી. ભટોળને સુરત ગ્રામ્યમાં બદલાવવામાં આવ્યા છે.
Read About Weather here
ટ્રાફિક બ્રાંચના પી.આઇ. એસ. એન. ગડુએ અગાઉ થોરાળા, એસઓજીમાં નોંધપાત્ર ફરજ બજાવી હતી. થોરાળામાં તેમની ફરીથી નિમણુંક કરવા અવાર-નવાર માંગણીઓ કરવામાં આવી હતી. હાલમાં ટ્રાફિક બ્રાંચમાં પણ તે કડકાઇથી ફરજ બજાવવા માટે જાણીતા બન્યા હતાં.(5.5)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here