શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમાં પણ જન્માષ્ટમી પૂર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે. આ તહેવારમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ઠાન સહિતની વાનગીઓ- રસોઈ બનાવી અને ચૂલો ઠારવાની પરંપરાનિભાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
રાંધણ છઠ્ઠનો તહેવાર શીતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમનાં દિવસે રસોઈ બનાવતા નથી. આથી મહિલાઓ છઠ્ઠનાં દિવસે બધી રસોઈ બનાવે છે.
ચૂલાનું પૂજન: રાંધણ છઠ્ઠનાં દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચૂલો ઠારી બંધ કરી તેના પર ફૂલની માળા, કંકુ, ચોખા, ચંદન, અબીલ-ગુલાલથી પૂજન કરવું.
ચૂલા ઠારવાનું મુહુર્ત: રાત્રે 7:06 થી 8:32 સુધી તથા રાત્રે 9:57 થી 11:23 સુધી.
જ્યોતિષની દ્રષ્ટિએ છઠ્ઠનાં અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમાં અગ્નિતત્વ રહેલ છે. રસોઈમાં પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે અને રસોઈ ઘરમાં માતાજી અન્નપુર્ણાનો વાસ છે.
Read About Weather here
આમ, તહેવારોમાં રાંધણ છઠ્ઠનું મહત્વ વધારે છે. રાંધણ છઠ્ઠનાં દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે.
અત્યારનાં જમાનામાં બધાના ઘરે ગેસનાં ચૂલા આવી ગયેલા છે. પરંતુ તેનું પૂજન પણ કરી શકાય છે.(૧.૧૨)
શાસ્ત્રી: રાજદીપ જોષી
વેદાંત રત્ન
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here