આવતીકાલે 40 વર્ષ પહેલાના પોતાના શાળા સમયના સોનેરી સંભારણા યાદગાર બનાવાશે
જામજોધપુર તાલુકાનાં પ્રગતિશીલ ગામ શેઠવડાળા ખાતે કાર્યરત જી.પી.એસ. હાઇસ્કૂલમાં 1981-82માં અભ્યાસ કરી ચૂકેલા અંદાજે 150 ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આવતીકાલે રાજકોટ ખાતે મવડીચોક પાસે આવેલી કાઠીયાવાડ મેવાડા સુથાર જ્ઞાતિની વાડી ખાતે ગુરુવંદના કાર્યક્રમનાં માધ્યમથી એકત્રિત થઇ આજથી 40 વર્ષ પહેલાનાં પોતાના શાળા સમયનાં સોનેરી સંભારણા યાદગાર બનાવશે.
Visit Saurashtra Kranti Homepage here
આદિવાસી વિસ્તારમાં 25 વર્ષ શિક્ષક- આચાર્ય તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર વ્રજલાલ દવેએ ગુરુવંદના કાર્યક્રમનાં માધ્યમથી સૌ સહપાઠી ભેગા થઈએ અને આપણાં ગુરુનું પૂજન કરીએ
અને સ્કૂલ સમયનાં સોનેરી સંભારણા યાદ કરી વર્ષો પહેલાનાં સ્મરણો તાજા કરવાની ભાવના તેમના સહપાઠી સમક્ષ રજૂ કરતાં તમામે આ વાત હરખથી વધાવી લીધી હતી અને થોડાજ સમયમાં આ યાદગાર કાર્યક્રમ બની ગયો છે.
Read About Weather here
આવતીકાલે યોજાનાર ગુરુવંદના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે સંગોષ્ટિ થશે. કોવિડ ગાઇડલાઇન મુજબ પૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમમાં સમયસર પહોંચી જવા વર્ષ- ૮૧-૮૨ નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here