પુરૂષોતમ રૂપાલા, ઉંજા ઉમીયાધામથી અને માંડવીયા ખોડલધામથી જોડાશે
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા રાજયના ખુણેખુણે પહોંચી લોકસંપર્ક કરવાના આશય થી શરૂ કરવામાં આવેલી જન આર્શીવાદ યાત્રાઓમાં આવતીકાલથી વધુ બે કેન્દ્રીય મંત્રી જોડાઇ રહયા છે. કેન્દ્રના મંત્રી પુરૂષોતમ રૂપાલા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહયા હોવાનું પ્રદેશ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
રૂપાલા આવતીકાલે ઉંજા ખાતે આવેલા કડવા પટેલ સમાજના ઉમીયા માતાજીના મંદિરેથી જન આર્શિવાદ યાત્રામાં જોડાશે. એ જ પ્રકારે મનસુખ માંડવીયા લેઉવા પટેલોના આસ્થા સ્થાન ખોડલધામ મંદિરેથી જન આર્શીવાદ યાત્રામાં જોડાઇ લોકો સાથે સંપર્ક અને સંવાદ હાથ ધરશે.
5 કેન્દ્રીય મંત્રીઓ આ રીતે ગુજરાતમાં જન આર્શીવાદ યાત્રાઓનું નેતૃત્વ કરી રહયા છે. જનતા સાથે સીધો સંપર્ક કરવાના અને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તથા સિધ્ધીઓને જન જન સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા આ યાત્રાઓ યોજવામાં આવી છે.
Read About Weather here
પાંચેય જિલ્લાઓની વોટ બેન્ક મુજબ કેન્દ્રીય મંત્રીઓને ફાળવણી કરવામાં આવી છે. ઠેરઠેર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભાજપની જન યાત્રાઓને લોકોનું પ્રચંડ સમર્થન સાપડી રહયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here