રાજ્યમાં થતી બેફામ ખનીજ ચોરી પર લગામ કસવા
રાજ્યમાં થતી બેફામ ખનીજ ચોરી પર લગામ કસવા ખાણ-ખનીજ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખનીજ ચોરો પર લગામ લગાવવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા 90 હજાર વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. ખાણ- ખનીજ વિભાગે વીટીઆરએસ સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.
સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે. નોંધણી બાદૃ જીપીઆરએસ થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરાશે. સિસ્ટમથી પેનલ્ટી ચોરી અને ગેરકાયદૃેસર ખનનને પણ અટકાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર ગેરકાયદૃેસર ખનન પ્રવૃત્તિઓ થતી સામે આવતી હોય છે. ત્યારે તેની વિરૂદ્ધ કોઇ પણ સામાન્ય વ્યક્તિ આંગળી નથી ઉઠાવી શકતી.
તાજેતરની જ ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠા જીલ્લાની શાન ગણાતા ઇડર ગઢને માથેથી એક વાર ખનનનું જોખમ ટળ્યાં બાદૃ હવે પાછલે બારણે લીઝ માલિકો સક્રિય બન્યા છે.
વહીવટી તંત્રની રહેમનજર તળે પથ્થરોનું કટિંગ કરી રહૃાાં છે. આ ખનન રોકવા ગયેલા ગઢ બચાવો સમિતિના સભ્યો અને સ્થાનિકો દ્વારા ઈડર જડબેસલાક બંધ રહૃાું હતું.
સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરમાં જેની નામના છે એવા ઈડરિયા ગઢને ફરી એકવાર લીઝ માલિકો પાંગળો કરવાનો પ્રયાસ કરી રહૃાા છે.
Read About Weather here
બેથી ત્રણ વર્ષ પહેલા ઇડર ગઢ બચાવો સમિતિ સહીત સાબરકાંઠા જીલ્લાભરમાંથી આવેલા ગઢ પ્રેમીઓના ધરણા, આવેદૃનપત્રો અને અહીંસક લડાઈઓ બાદૃ વહીવટી તંત્ર ઝૂક્યું હતું અને ગઢમાં ચાલી રહેલા ખનન પર પ્રતિબંધ મુક્યો હતો. (3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here