બપોરે 1 થી 2 વાગ્યા સુધી પેટ્રોલ પંમ્પો બંધ રહેશે
મારજીન વધારવાની માંગણી સાથે આજે રાજયમાં પેટ્રોલ-ડિઝલ અને સીએનજી ડિલર્સ દ્વારા આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એ મુજબ તમામ ડિલર્સ દ્વારા નો પરચેઝ આંદોલન માંગ પુરી ન થાય ત્યાં સુધી ચલાવવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
સુરત, વડોદરા, અમદાવાદ વગેરે સ્થળે ડિલર્સ એસોસીએશને બપોરે 1 થી 2 વાગ્યા સુધી પેટ્રોલ પમ્પો અને સીએનજી સ્ટેશન બંધ રહેશે તેવી પણ જાહેરાત કરી છે.
ડિલર્સ એસોસીએશને જાહેર કર્યુ છે કે, છેલ્લા 3 વર્ષથી મારજીનની રકમ વધારવામાં આવી નથી. અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે. છેવટે આંદોલન કરવું પડયું છે. અત્યારે તમામ ડિલર્સ નો પરચેઝ નીતિ પર આગળ ચાલશે.
Read About Weather here
સુરતમાં અને અન્યત્ર પેટ્રોલ પમ્પો પર સવારથી લોકોએ પેટ્રોલ ભરાવવા ધસારો કર્યો હતો અને લાંબી લાઇનો લાગી ગઇ હતી.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here