રોજીંદી ઓપીડીમાં 20 ટકાનો વધારો: તાવ-શરદી-ઉધરસનાં કેસોમાં વધારો
રાજકોટ સિવિલમાં આજે સવારથી જ શરદી-તાવ-ઉધરસ સહિતના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજે એક જ દિવસમાં ઓપીડીમાં કુલ 573 કેસો નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં ડેન્ગયુના 19 અને મેલેરીયાના 16 તેમજ શરદી-તાવ-ઉધરસ સહિત સામાન્ય કેસો નોંધાયા છે.
અમદાવાદ વરસાદ સાથે ઠંડા વાતાવરણનાં અલગ સંયોજનએ મચ્છરોનું લોકોના ઘર સુધી પહોંચવું સહેલું કર્યું છે. ત્યારે આરોગ્ય અધિકારીઓને અમદાવાદ સાથે રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં એક વ્યક્તિને બે અલગ રોગનાં સંયોજનએ ચિંતામાં મુક્યા છે.
એક અભ્યાસ દ્રારા માઈક્રોબાયોલોજી વિભાગ, પી.ડી.યુ કોલેજ અને હોસ્પિટલ, રાજકોટ અને વડોદરા ખાનગી હોસ્પિટલનાં રીપોર્ટમાં સહવર્તી ચેપ જોવામાં આવ્યા છે. તે રોગ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરીયા એક વ્યક્તિમાં જોવા મળેલ છે.
અમદાવાદમાં પણ આવા સહવર્તી ચેપનાં બે કેસ અ.મ્યુ ને મળી આવેલ છે. જૂન-2019 થી એપ્રિલ 2021 નાં અભ્યાસ પરથી તારણો લેવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં એપ્રિલ 2021 સુધીમાં 3810 કેસ ડેન્ગ્યુનાં, 2122 કેસ ચિકનગુનિયા અને 1605 કેસ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને સાથે થયાના મળ્યા છે.
અભ્યાસકર્મીઓને 60 એવા કેસ સામે આવ્યા જેમાં 3.73% લોકો ને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ બંને હતા, તેઓ સહવર્તી વધારે ઘાતક જણાય છે. આ અભ્યાસ કરવા પાછળનું કારણ હતું કે, પ્રથમ તબક્કામાં જો મોટા પ્રમાણમાં હાની થઇ શકે એમ હોય તો તેનું નિવારણની શોધ થઇ શકે.
તેથી રોગીષ્ઠતા અને નૈતિકતાનો દર વધે નહીં. અભ્યાસ કર્મીઓ દ્વારા આ અભ્યાસ કરવા બદલનો એક લક્ષ્ય એવો પણ હતો કે આરોગ્ય અધિકારીઓ આવા રોગથી બચવા અને નિયંત્રણમાં લેવા માટે અસરકારક પગલા હાથ ધરે/લઇ શકે.
પ્રોફેસર હેત્વી ચાવલા, સહયોગી પ્રોફેસર મધુલીકા મિસ્ત્રી અને નિવાસી ડોક્ટર તન્વી ચૌધરી, જી.એમ.ઈ.આર.એસ. રાજકોટ દ્વારા આ અભ્યાસ રીપોર્ટ બનાવામાં આવેલ છે.
આજ રીતેનાં બીજા અભ્યાસમાં ધીરજ હોસ્પિટલ વડોદરાનાં ડોકટરો દ્વારા 604 કેસ વિષ્લેષણમાં 58 દર્દીઓ 9.6% મેલેરીયા પોઝીટીવ અને 80 દર્દીઓ 13.24% ડેન્ગ્યુ પોઝીટીવ હતા.
તેમજ વધુમાં 21 દર્દીઓ 3.67% ને ડેન્ગ્યુ અને મેલેરીયા બંને રોગ જોવા મળ્યા હતા. આ રોગ આવનાર વધારે વ્યક્તિઓની (ઉ.વ. 31-60) વર્ષ જોવા મળેલ છે.
આ કેસોમાં 52.38% દર્દીઓમાં કમળો, 23.80% દર્દીઓમાં હેમોરેહજીક સંભવ, 4.76% દર્દીઓમાં કીડની ફેલયર અને 95.23% દર્દીઓમાં થ્રોબોસાયટોપેનીયા જોવામાં આવ્યું હતું,.
ધીરજ હોસ્પિટલનાં સંગીતા વસાવા, સુચેતા લાખાણી અને જીતેન્દ્ર લાખાણી દ્વારા અભ્યાસ કરવામાં આવેલ છે. અભ્યાસ કર્મીઓનું કહેવું છે કે, કલીનીક ડોકટરો દ્વારા તાવનાં કેસમાં આવેલ દર્દીઓને મેલેરીયા અને ડેન્ગ્યુ છે
Read About Weather here
કે નહીં તે સરખી રીતે તપાસવું જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા પણ આ રોગીષ્ઠતા અટકાવવા અસરકારક નિર્ણય લેવો જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here