વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને સન્માનિત કરાયા

વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને સન્માનિત કરાયા
વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને સન્માનિત કરાયા
ગત તા. 18 ના રોજ વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ગુરૂ પૂર્ણીમાંની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ જેમાં વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઑ દ્વારા

Subscribe Saurashtra Kranti here

ગુજરાતનાં પનોતા પુત્ર કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયાના ગામ અમરાપુર ખાતે જઈને તેમને સારા કાર્ય માટે સન્માનીત કરવામાં આવ્યા હતા.વાસુદેવ

તેઓની પોતાની આગવી સૂઝ-બૂઝ અને અપાર નિર્ણય શક્તિ અને વિના ભેદભાવે સેવાકીય કાર્યો પ્રદાન કરવાની મન મસ્તીસ્કની અંદર મહેચ્છા રાખનારા અને તેને સાર્થક કરવામાં સફળ થઈ પારંગત ઉતરેલા

અને લોકોના દિલ પર પોતાની ઉત્તમ કાર્યશૈલીની સદાને માટે અનેરી છાપ બેસાડનાર એવા પ્રખર સેવાભાવી અને સુગમ અને સરળ સ્વાભાવનું વ્યક્તિત્વ ધરાવનાર કેબીનેટ મંત્રી કુવરજીભાઈ મોહનભાઇ બાવળીયાને સેવાકીય કાર્યના

ગુરુપદે માનીને પ્રમાણપત્ર અર્પણ કરીને આશીર્વચન મેળવીને ટ્રસ્ટ વિષેની યોગ્ય ગાઈડ-લાઈન મેળવી સૌ ટ્રસ્ટીઓએ સેવા, સમર્પણ, ત્યાગ અને માનવ સેવાએ જ પ્રભુસેવાના જયઘોષ સાથે ગૂરૂ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Read About Weather here

જેમાં પ્રમુખ શર્મા દીપકકુમાર, તથા આશિતભાઈ પાંડે, તથા રાઠોડ રાજીવભાઈ, તથા વિશ્વકર્મા સીમાબેન, પટેલ મહેન્દ્રભાઈ, પરિહાર સંજયભાઈ, માંડવિયા જયેશભાઈ, વગેરે મહાનુભાવોએ આ પ્રસંગનો લાભ લઈ સૌ કોઈ કૃતાર્થ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here