કચ્છના પાટનગર ભુજમાં આવેલી ગુજરાત અદાણી ઇન્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝમાં દુસીત અને ગંદા પાણીને કારણે 50 જેટલા વિદ્યાર્થીઓ બિમાર પડી જતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Subscribe Saurashtra Kranti here
દુસીત પાણીને વિદ્યાર્થીઓને ઇન્ફલુ એન્ઝા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. જેના કારણે બધાને દવાખાને ખસેડવામાં આવ્યા છે તેમ અદાણી મેડિકલ કોલેજના ચીફ મેડિકલ સુપ્રી ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું.
એક અહેવાલ અનુસાર નર્મદા નદીનું પાણી મળવાનું અનીયમીત બની ગયું હોવાથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કુવા અને દારનું પાણી આપવામાં આવી રહયું હતું. પરંતુ વિદ્યાર્થીઓને ઝેરી અસર થતા હવે ટેન્કરો મોકલી પીવાનું પાણી આપવામાં આવી રહયું છે.
Read About Weather here
વિદ્યાર્થીઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે અને દરેકના લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. બિમાર વિદ્યાર્થીઓમાં એમબીબીએસ કોર્ષના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here