આલાપ શાક માર્કેટ પાસેથી ફ્રુટના વેપારીનું કારમાં અપહરણ કરી જતા 3 શખ્સો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પૈસાની લેતી દેતીમાં ત્રણેય શખ્સોએ મારમારી મૂકી દીધો ; 3 સામે ગુનો નોંધવા તજવીન

કાર રાજકોટમાં ફ્રુટના ધંધાર્થી યુવકનું પૈસાની લેતી દેતિમાં 3 શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટમાં પુષ્કરધામમાં રહેતો પંકજ ઉકાભાઈ રાજાઈ (ઉ.વ.36) નામનો યુવાન તેના ઘર નજીક આલાપ શાકમાર્કેટ પાસે લારીમાં ફુટ વેચતો હતો ત્યારે ભાવનગરનો ઋષિરાજસિહ અને રાજકોટના 2 અજાણ્યા શખ્સોએ કારમાં ધસી આવી અપહરણ કરી ગોંડલ રોડ નજીક પુનીતનગરમાં આવેલ એક ગેરેજમાં લઇ જઈ ધોકા-પાઈપ વડે બેફામ મારકૂટ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

બનાવની જાણ થતા જ યુનીવર્સીટી પોલીસ મથકના પી.એસ.આઈ. એ. બી.જાડેજાએ તપાસ કરતા મૂળ ભાવનગરનો પંકજ અગાઉ ઋષિરાજ સાથે ફ્રુટના ધંધા બાબતે પૈસાની લેતી-દેતી કરી હતી અને છેલ્લા દોઢેક વર્ષથી છૂટક છૂટક રૂપિયા આપ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતો હોય.

Read About Weather here

જેથી ભાવનગરથી રાજકોટ આવ્યો હતો જેની જાણ થઇ જતા અપહરણ કરી અર્ધો કલાક માર માર્યો હોવાનો અને નજર ચૂકવી બચીને નાશી છૂટ્યાનો આક્ષેપ કરતા પોલીસે ગુનો નોંધવા તેમજ ત્રિપુટીને ઝડપી લઈ પુછપરછ શરૂ કરી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here