અંકલેશ્વર શહેરના વેપારીઓની દુકાન શરુ કરવા માટે નગરપાલિકામાં રજૂઆત
કોરોના મહામારી ના વધી રહેલા વ્યાપ ને અંકુશ માં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ નો અમલ કરાવવામાં આવી રહ્યો છે જો કે નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ રહેતા આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન વિકટ બની રહી છે.ત્યારે અંકલેશ્વર શહેર ના વેપારીઓ એ પોતાની દુકાનો કોવિડની ગાઇડલાઇન સાથે શરુ કરવા માટે નગર પાલિકા ને લેખિત માં રજૂઆત કરી હતી,
Subscribe Saurashtra Kranti here
અંકલેશ્વર માં કોરોના મહમારીએ લોકોને ભયના ઓથા હેઠળ લાવી દીધા છે, તો બીજી તરફ દિવસ દરમ્યાન મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ ના પરિણામે કપડા, વાસણ, નાસ્તાની લારીઓ સહિતના નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ રહેતા વેપારીઓ ની આર્થિક પરિસ્થિતિ દિનપ્રતિદિન વિકટ બની રહી છે,ત્યારે હવે તારીખ 18મી મેના રોજ કોવીડ અંગેના જાહેરનામાની મુદ્દત પૂર્ણ થઇ રહી છે.
તેથી અંકલેશ્વર શહેર ના વેપારીઓએ નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવીને તેઓના ધંધા રોજગાર શરુ કરવા માટેની રજૂઆત કરી હતી.
Read About Weather here
વેપારી સંગઠન દ્વારા આવેદનપત્ર માં જણાવવા માં આવ્યુ છે કે ધંધા રોજગાર બંધ રહેવાના કારણે અમારી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે ,કર્મચારીઓના પગાર, દુકાનનું ભાડું તેમજ ખર્ચ કાઢવા માટેનું પણ મુશ્કેલરુપ બની ગયુ હોવાનું જણાવી 18 તારીખ પછી દુકાનો ખોલવા માટે પાલિકા તંત્ર ને રજૂઆત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here