રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 76 દર્દીના મોત, કેસની સંખ્યામાં જોવા મળ્યો મોટો ઘટાડો !

રાજકોટ
રાજકોટ

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 34928 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ મોતમાં કાળો કેર વર્તાવ્યો હોય તેમ મોતનો સીલસીલો યથાવત છે. શહેરમાં 24 કલાકમાં 76 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 72 દર્દીના મોત થયા હતા. પરંતુ ડેથ ઓડિટ કમિટીમાં 14 દર્દીના મોત કોવિડમાં થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

શહેરમાં કોરોના કેસની સંખ્યામાં બે દિવસમાં ઘણો ઘટાડો નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 37928 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3643 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 618 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here