ખાતામાંથી નાણાં થઈ જશે સફાચટ: એસબીઆઇ
એસબીઆઈએ ગ્રાહકોને સતર્ક કરતા જણાવ્યું છે કે તે કોઈના પણ દ્વારા મોકલવામાં આવેલા ક્યુઆર કોડ સ્કેન ના કરે
બેન્કે જણાવ્યા મુજબ ક્યુઆર કોડનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે જ કરવામાં આવે છે,
કોરોના સંકટને પગલે લોકોને ઓનલાઈન લેવડદેવડ તરફ વળવાની ફરજ પડી છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખૂબજ સતર્કતા રાખવી જરૂરી છે. ટેક્નોલોજીએ આપણા જીવનને સરળ બનાવ્યું છે એટલું જ નહીં પરંતુ બીજીતરફ સાયબર ફ્રોડ કરનારાઓને પણ વધુ તક પુરી પાડી છે. હવે દેશમાં એક નવા પ્રકારનું સ્કેમ વધી રહૃાું છે જે ક્યૂઆર કોડ સાથે જોડાયેલું છે. દેશની સૌથી મોટી પીએસયુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ગમે તે ક્યુઆર કોડ સ્કેન કરવા સામે ચેતવણી આપી છે.
Subscribe Saurashtra Kranti here
એસબીઆઈએ ગ્રાહકોને સતર્ક કરતા જણાવ્યું છે કે તે કોઈના પણ દ્વારા મોકલવામાં આવેલા ક્યુઆર કોડ સ્કેન ના કરે. જો તમે તેમ કરો છો તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે અને તમારા ખાતામાંથી પૈસા સફાચટ થઈ જશે.
Read About Weather here
બેન્કે જણાવ્યા મુજબ ક્યૂઆર કોડનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે જ કરવામાં આવે છે અને તેનાંથી તમને કોઈ પૈસા મળતા નથી. એટલા માટે જ કોઈપણ દ્વારા મોકલવામાં આવતા ક્યૂઆર કોડ્ને સ્કેન ના કરવું જોઈએ. જો તમારે કોઈને પેમેન્ટ કરવાનું હોય તો જ ક્યૂઆર કોડ સ્કેન કરો. એસબીઆઈએ જણાવ્યું કે તમારા નાણાંને સુરક્ષિત રાખો અને મૂર્ખ ના બનો.
એસબીઆઈએ ક્યૂઆર કોડથી થતા ફ્રોડની સમજ આપતા જણાવ્યું કે, ઓનલાઈન ઠગ ડાયનીંગ ટેબલનું નાણાં આપવા ક્યૂઆર કોડ મેકલે છે. પરંતુ ગ્રાહક સમજદાર છે અને જાણે છે કે ક્યૂઆર કોડ હંમેશા પેમેન્ટ કરવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે અને પેમેન્ટ મેળવવા માટે નહીં. જેથી હવે તમામ ગ્રાહકોએ ક્યૂઆર કોડના ફ્રોડમાં ફસાવાથી બચવું જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here