રાત્રિ કર્ફ્યુથી મેળ નહીં પડે, રાજ્યમાં લોકડાઉન જરૂરી- ડો. જરદોષ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાત્રિ કર્ફ્યુથી હાલની સ્થિતિમાં કોઈ કર્ફ પડ્યો પણ નથી અને પડશે પણ નહીં

ત્રણથી ચાર દિવસનો કર્ફ્યું લાદવા અને વીકએન્ડ કર્ફ્યું,

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં વધતાં કોરોના હાહાકાર વચ્ચે હાઈકોર્ટે ગુજરાત સરકારને કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને લઈને સૂચન કર્યા બાદ હવે લોકડાઉનની માંગ પ્રબળ બની રહી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં આગામી ૩થી ૪ દિવસ લોકડાઉન કરવાનું અવલોકન કર્યું હતું. હવે આજ સ્થિતિમાં AMAના પૂર્વ પ્રમુખ જરદોષનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં ૪થી ૫ દિવસનું લોકડાઉનની જરૂર છે. રાત્રિ કર્ફ્યુથી હાલની સ્થિતિમાં કોઈ કર્ફ પડ્યો પણ નથી અને પડશે પણ નહીં.

કોરોના વાયરસનો નવો સ્ટેઈન સીધો ફેંસા પર એટેક કરે છે, જેથી હાલના નવા સ્ટેઈનની ચેઈન તોડવી ખુબ જ આવશ્યક છે. જેથી કોરોનાની ચેન તોડવા માટે ગુજરાત સહિત દેશ પાસે લોકડાનનો જ એકમાત્ર ઉપાય છે.

AMAના પૂર્વ પ્રમુખ જરદોષે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ૪૧ હજાર કેસ નોંધાયા હતા. પરંતુ હાલમાં માત્ર ૬ દિવસમાં રેકોર્ડબ્રેક ૧૭ હજાર નવા કેસ નોંધાયા છે. રાજ્યની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ ભરાઈ ગયા છે.

અત્રે નોંધનીય છે કે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે. એટલું જ નહીં, રાજ્યમાં જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો હતો. જસ્ટિસે કહૃાું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યું લાદવા અને વીકએન્ડ કર્ફ્યું બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી હતી.

અત્રે નોંધનીય છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને લોકડાઉન કરવા માટે જણાવી દેવાયું છે.

Read About Weather here

ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાના ગામડાંઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી ગયા છે, ધડાધડ એક પછી એક જગ્યાએ લોકડાઉન આપવામાં આવી રહૃાું છે. ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુંને કારણે ઉધોગ ધંધા અને નોકરીયાતોને મોટી અસર પહોંચી છે. ત્યારે ખુદ વેપારી એસોસિએશન પણ માની રહૃાા છે કે રાજ્યમાં વીકેન્ડ પર લોકડાઉન કરવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here