કર્ફ્યું કે લોકડાઉન લગાવાશે તો પણ ખેડૂતો આંદોલન ચાલુ રાખશે: રાકેશ ટિકૈત

કિસાન આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ: દિલ્હી બોર્ડર પર ભારે શક્તિ પ્રદર્શન, જંગી સુરક્ષા કાફલો તૈનાત કરાયો
કિસાન આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ: દિલ્હી બોર્ડર પર ભારે શક્તિ પ્રદર્શન, જંગી સુરક્ષા કાફલો તૈનાત કરાયો

ખેડૂત આંદોલન શાહીન બાગ નથી

Subscribe Saurashtra Kranti here

દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહૃાુ છે કે, કોઈ પણ સંજોગોમાં ખેડુત આંદોલનને રોકવામાં નહીં આવે.કોરોનાના નામે સરકાર અમને ડરાવવાની કોશિશ કરી રહી છે પણ અમારુ આંદોલન ચાલતુ રહેશે.

રાકેશ ટિકૈતે સહારનપુરમાં ખેડુતોને સંબોધન કરતા કહૃાુ હતુ કે, સરકાર ખેડૂતોને કોરોનાના નામે ડરાવવાનુ બંધ કરે.ખેડુત આંદોલન શાહીન બાગ નથી. દેશમાં કર્ફ્યું નાંખવામાં આવે કે લોકડાઉન લાગુ કરવામાં આવે પણ નવેમ્બર ડિસેમ્બર સુધી પણ ખેડુતોનુ આંદોલન લગાતાર ચાલુ રહેશે.

તેમણે કહૃાુ હતુ કે, આગામી દિવસોમાં હું હિમાચલ પ્રદેશ અને બિહારમાં જઈને ખેડુતો સાથે સંવાદ કરવાનો છું. રાજસ્થાનમાં મારા પર ભાજપે જ હુમલો કરાવ્યો હતો પણ આ મામલામાં મારે કોઈ કાર્યવાહી કરવી નથી.

Read About Weather here

છેલ્લા ચાર મહિનાથી ખેડુત આંદોલન ચાલી રહૃાુ છે. ખેડુતો દિલ્હી બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે. સરકાર સાથે ૧૧ વખત વાટાઘાટો થઈ પણ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. બીજી તરફ સરકાર વાટાઘાટો કરવા માટે પણ હવે તો ઉત્સુક નહીં હોવાથી આંદોલન સ્થગિત જેવુ થઈ ગયુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here