Subscribe Saurashtra Kranti here
૧૧ દિવસમાં ૭ આતંકીનો ખાતમો, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કરાયો
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ગઇકાલે રાત્રે ૪ આતંકીઓને ઠાર માર્યા. આ સાથે છેલ્લા ૧૧ દિવસમાં સુરક્ષાદળોએ ૭ આતંકિને ઠાર માર્યા. તેમને પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કર્યો. કાશ્મીર ઝોન પોલીસે સેનાને મળેલી સફળતા અંગેની માહિતી આપતા જણાવ્યુ કે શોપિયાં જિલ્લાના મુનિહાલ વિસ્તારમાં સેનાની સાથે અથડામણમાં ૪ આતંકિ ઠાર મરાયા. જ્યારે એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ થયો છે.
આ તમામ આતંકી લશ્કર એ મુસ્તફા સંગઠન સાથે સંકળાયેલા હતા. તેઓ શોપિયાંના જ રહેવાસી હતા અને તેમની ઓળખ આમિર શફી, રઇસ બટ્ટ, આકિબ મલિક અને અલ્તાફ અહેમદ વાની તરીકે થઇ છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા બળોને કેટલાક આતંકિ છુપાની બાતમી મળી હતી. ત્યાર બાદ ઓપરેશન હાથ ધરાયું હતું. શોપિયાંના મનિહાલ વિસ્તારમાં રવિવારે રાતે આશરે ૨ વાગ્યાથી અથડામણ શરૂ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં ૪ અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા. સેનાનું આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહૃાુ છે.
Read About Weather here
કેન્દ્ર શાસિત પ્રદેશના આઇજી વિજયકુમારે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ચાલેલા એક્ધાઉન્ટરમાં લશ્કર એ તોઇબાના તમામ ૪ આતંકી માર્યા ગયા. જો કે આ દરમિયાન એક જવાન ઘાયલ થયો છે. ઓપરેશન પુરુ થઇ ગયું છે અને સ્થિતિ અંકુશ હેઠળ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here