Subscribe Saurashtra Kranti here
મ્યુનિ. કમિશ્ર્નર ઉદિત અગ્રવાલે નાનામવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કોરોના વેક્સીન લેવા માટે આવેલા નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો
રાજકોટ મનપા દ્વારા હાલ કોરોના વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે. આજે મ્યુ. કમિશ્ર્નર ઉદિત અગ્રવાલે નાનામવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં કોરોના વેકસીન લેવા માટે આવેલા નાગરિકો સાથે મ્યુ, કમિશનરે સીધો સંવાદ કર્યો હતો અને અન્ય લોકો પણ વેકસીન લેવા પ્રેરાય તેવા પ્રયાસ કરવા નાગરિકોને અપીલ કરી હતી
તેમજ અશક્ત નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મ્યુ. કમિશનરે આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં જ વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવી હતી. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં થઈ રહેલી વિવિધ કામગીરીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુ. કમિશ્ર્નર બી. જી. પ્રજાપતિ અને એડી. સીટી એન્જી. બી. યુ. જોષી હાજર રહ્યા હતા.
Read About Weather here
આજે રાજકોટ મનપાના ત્રણેય ઝોન ખાતે જૈન સમાજના મહાસતિજીઓએ કોરોના વેક્સીન લીધી હતી અને શહેરના નાગરિકોને વેક્સીન લેવા પ્રેરિત કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here