MLA મેવાણીની ધરપકડનો વિરોધ…!

MLA મેવાણીની ધરપકડનો વિરોધ…!
MLA મેવાણીની ધરપકડનો વિરોધ…!
મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આ મામલે આજે અમદાવાદના સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

12 વાગ્યે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. તે પહેલાં સારંગપુર ખાતે ACP, PI સહિતનો પોલીસ કાફલો અને અટકાયત કરવા માટે 10 જેટલી પોલીસનો ગાડી તૈનાત કરવામાં આવી છે.કોંગ્રેસના આગેવાનો બાબા સાહેબની આંબડેકરની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા. પોલીસ અટકાયત કરવા આવતા પોલીસ અને શહેઝાદ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ધરણા પર બેસી ગયા હતા.

અટકાયત દરમિયાન કોંગ્રેસના કાર્યકર

તેમજ યુથ કોંગ્રેસે સારંગપુર ચાર રસ્તા નો રસ્તો રોકી લીધો હતો.પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત શરૂ કરી હતી.મહિલાઓ રોડ પર બેસી ગઈ હતી.જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા હતા.ધરપકડ બાદ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે મને એફઆઈઆરની નકલ આપી નથી, પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે, આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી.

મહિલાઓ રસ્તા પર બેસી ગઈ હતી

મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જોઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી. પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનારી વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી.

ધરપકડ બાદ જિજ્ઞેશ મેવાણીએ મીડિયા સાથે વાત કરી હતી.

Read About Weather here

મધરાતે 3.30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ-પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી હતી. ’ આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી પણ જિજ્ઞેશને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા. આ મામલે તેમણે કહ્યું હતું કે ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે, પરંતુ અમે ડરીશું નહિ લડીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here