સંભવિત વાવાઝોડાની અસર…!

સંભવિત વાવાઝોડાની અસર…!
સંભવિત વાવાઝોડાની અસર…!
ત્યારે વલસાડ શહેરમાં પણ આજે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વહેલી સવારે 4 કલાકે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજ લાઈન ઉપર ડાળી પડતા આજુબાજુના 4 વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજ પ્રવાહ ખોરવાતા આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો.વલસાડ શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. જેથી એક મહાકાય ઝાડની ડાળી તૂટી જતા નીચે પસાર થતી વીજ લાઈનના 4 વીજ પોલ અસરગ્રસ્ત થયા હતા.
સંભવિત વાવાઝોડાની અસર…! વાવાઝોડા

Visit Saurashtra Kranti Homepage here

સંભવિત વાવાઝોડાની અસર…! વાવાઝોડા

જેને પગલે વીજ પ્રવાહ ખોરવાતા આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો. RPF ગ્રાઉન્ડની આજુબાજુમાં રેલવે યાર્ડમાં વીજપોલ ધરાશાયી થયો હોવાની જાણ રેલવે ક્વાર્ટરમાં રહેતા કર્મચારીઓને થતા તેઓએ વીજ કંપનીની કચેરીએ જાણ કરી હતી. જેથી વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંધ પડેલો વીજ પુરવઠો કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.વલસાડ શહેરમાં સંભવીત વાવાઝોડાની અસરને પગલે ઝાડની ડાળી પડતા રસ્તા ઉપર અવાર-જવર બંધ થઈ હતી. જેને લઈ વીજ કંપનીના કર્મચારીઓએ રસ્તા ઉપર પડેલી મહાકાય ડાળીને દૂર કરવાની અને વીજ પુરવઠો કાર્યરત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી રવિવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. થર્મલ લોની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં 20થી 25 કિલોમીટરની ગતિના પવન ફૂંકાવાની સાથે ભેજ વધતાં વરસાદી છાંટાથી લઈ ઝાપટાંની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

સંભવિત વાવાઝોડાની અસર…! વાવાઝોડા

Read About Weather here

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદમાં સવારથી બપોર સુધી ગરમીનું જોર યથાવત્ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમ છતાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.1, લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય ગાંધીનગરમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યાનુસાર, રાજસ્થાન વિસ્તારમાં ચોમાસું ખેંચી લાવતી થર્મલ લો રચાયું છે, જેને કારણે પવનની ગતિ વધે છે. આ પવન દક્ષિણ વિસ્તારમાંથી ભેજ ખેંચી લાવે છે, જેને લીધે વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા વાદળ રચાય છે, જેથી આગામી ચાર દિવસ ઝાપટાં પડી શકે છે.તેમ જ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ધૂળિયા તોફાનો આવે છે, જેથી છેલ્લા ચાર દિવસ દરમિયાન પવનની ગતિ 7થી 11 કિમી પ્રતિ કલાકથી વધી 20થી 25 કિમીની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here