શીંગદાણાના કારખાનામાં શોર્ટસર્કીટથી આગ ભભૂકી

બે ફાયર બ્રિગેડ ૨૦ મિનીટમાં જ આગને કાબુમાં લીધી

ભગવતીપરામાં આવેલા શીંગદાણાનાં કારખાનામાં શોર્ટસર્કીટથી આગ ભભૂકી હોવાની જાણ થતા બે ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ ૨૦ મિનીટમાં આગને કાબુમાં લીધી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ ભગવતીપરા શેરી-૨૧ માં આવેલા મયૂરચીકી નામના કારખાનામાં આગ ભભૂકીયાની જાણ પાડોશીએ કારખાના માલિક મોસીન રહીમ ભટી (રહે. ધાંચીવાડ) ને કરતા તેઓ કારખાને દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બેડીપરાની બે ફાયર ફાઈટરની ટીમે દોડી જઈ કારખાનામાં લાકડાની ભૂસીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Read About Weather here

લાકડાનાં ભૂસી ઉપર આવેલા વિજતારોમાં શોર્ટસર્કીટનાં કારણે તિખારા થતા આગ લાગી હોવાનું કારખાનાનાં માલિક મોસીન ભટીએ તોલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. જો કે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી નુકશાની ટળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here