રાજકોટમાં ભાવિકો માટે ઉપવાસનો ફરાળ પણ મોંઘોદાટ

રાજકોટમાં ભાવિકો માટે ઉપવાસનો ફરાળ પણ મોંઘોદાટ
રાજકોટમાં ભાવિકો માટે ઉપવાસનો ફરાળ પણ મોંઘોદાટ

પેટીસ, વેફર વગેરે જરૂરી ખાધ્ય ચીજોના ભાવ તહેવારો પર જ વધારાયા: ભકત જનતામાં ભારે રોષની લાગણી, ફરસાણના ભાવ ઘટાડવાની માંગણી

Visit Saurashtra Kranti Homepage here

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો છે અને લોકો ભોળાનાથની ભકતી, ઉપવાસ, પૂજા-અર્ચના જેવા ધાર્મીક કાર્યક્રમોમાં મગ્ન થઇ ગયા છે. આપણે ત્યાં સામાન્ય રીતે બને છે એમજ જયારે જયારે તહેવારો કે મહત્વના પ્રસંગો આવી રહયા હોય કે આવી ગયા હોય ત્યારે ખાસ જરૂરી ખાધ્ય ચીજ વસ્ તુઓના ભાવ વધારી દેવામાં આવતા હોય છે

અને ભાવિકો જનતા મુંગે મોઢે નવા ભાવ વધારાનો ડામ સહન કરતી રહે છે. વધેલા દામના ડામ છુપાવીને ભકતજનો ના છૂટકે તપ અને આરાધનામાં લીન થઇ જાય છે અને મોંઘવારી વધારનારાઓને મોકળુ મેદાન મળી જાય છે.

Read About Weather here

અત્યારે ઉપવાસનો મહિનો ચાલે છે લોકો ઉપવાસ દરમ્યાન ફરાળ કરતા હોય છે એટલે ઉપવાસીઓની મજબુરીનો ગેરલાભ ઉઠાવીને ફરાળના ભાવોને પણ આકાશમાં ચડાવી દેવામાં આવ્યા છે. પેટીસ હોય કે વેફર કે ફરાળી ચેવડો બધાના ભાવ તહેવાર સમયે જ ખાસ વીધ જાય છે એ આશ્ર્ચર્ય જનક છે. ભાવ ઘટાડવામાં આવે તેવી ભાવિકોમાં લાગણી પ્રવરતી રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here