રાજકોટની પાંચ અને મોરબી જિલ્લાની બે પાલિકામાં,  વહીવટદારનું શાસન લાગુ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ જિલ્લાની પાંચ નગર પાલિકા જેતપુર નવાગઢ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને ભાયાવદર અને મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર નગર પાલિકાની મુદત પુરી થઇ જતાં વહીવટદારનું શાસન લાગુ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને ભાયાવદર નગર પાલિકાની મુદત ફેબ્રુઆરીમાં પૂર્ણ થઇ ગઇ છે અને જ્યાં સુધી ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી વહીવટદાર શાસન સંભાળશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 8 મુજબ રાજ્યની 76 પાલિકા પૈકી 68ની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થઇ છે જેમાં રાજકોટ જિલ્લાની નવાગઢ જેતપુર, ધોરાજી, જસદણ, ઉપલેટા અને ભાયાવદરનો સમાવેશ થાય છે. જ્યારે વાંકાનેર પાલિકાને તો 30 જૂન, 20 22ના જાહેરનામાથી વિસર્જિત કરી દેવામાં આવી છે.નગર પાલિકાની મુદત પ્રથમ બેઠકથી પાંચ વર્ષ સુધીની હોય છે અને મુદત પૂર્ણ થયા પહેલાં સામાન્ય ચૂૂંટણી યોજવાની હોય છે પરંતુ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા સમર્પિત આયોગની રચના કરવામાં આવી છે જે આયોગે રાજ્ય સરકારને 90 દિવસમાં અહેવાલ આપવાનો રહેશે તેવી જોગવાઇ કરવામા આવી હતી અને તે મુદત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ પરથી લંબાવવામાં આવી છે.

Read About Weather here

હળવદમાં સ્થાનિક મામલતદાર સત્તા સંભાળશે જ્યારે વાંકાનેરમાં પ્રાંત અધિકારી આ હોદો નિભાવશે. બીજી તરફ રાજકોટ જિલ્લાની પાલિકાઓમાં નવાગઢ જેતપુર માટે ગોંડલના પ્રાંત અધિકારી, ધોરાજીમાં સ્થાનિક પ્રાંત અધિકારી અને ઉપલેટામાં ડેપ્યુટી કલેક્ટર , જસદણમાં મામલતદાર અને ભાયાવદરમાં ઉપલેટા મામલતદાર આ ફરજ બજાવશે.આથી જ્યાં સુધી સમર્પિત આયોગ દ્વારા સરકારને અહેવાલ નહીં સોંપાય ત્યાં સુધી ચુંટણી યોજાઇ શકે તેમ નથી આથી નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણુંક કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here