રશિયા-યુક્રેન યુદ્ધનો 44મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 44મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 44મો દિવસ
જર્મનીએ જણાવ્યું છે તેના ગુપ્તચર વિભાગે સેટેલાઇટ દ્વારા રશિયન સેનાના રેડિયો ટ્રાન્સમિશનને રેકોર્ડ કર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને 43 દિવસ પુરા થઈ ગયા છે. આ દરમિયાન, યુક્રેનના બુચા શહેરમાં નરસંહારના આરોપોનો સામનો કરી રહેલા રશિયાની મુશ્કેલીઓમાં જર્મનીના દાવાએ વધારો કર્યો છે.  આ વાતચીતમાં રશિયન સેનાના અધિકારીઓને નાગરિકોની હત્યા કરવા માટેનાં આદેશ આપી રહ્યા છે.જર્મનીએ પણ આ ઓડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ ઓડિયો બુચા શહેરનો હોઈ શકે છે, જ્યાં ગયા દિવસોમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હતા. જો કે,રશિયાએ તેને પ્રોપેગેન્ડા ગણાવીને ફગાવી દીધો છે.
બુચામાં, રાહત ટીમો અને NGOના લોકો ઘરોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૃતકોની સંખ્યા વધુ હોવાને કારણે રેન્ડમ પોસ્ટમોર્ટમનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ બુચા હત્યાકાંડની તપાસની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. અહીં, રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેને દાવો કર્યો છે કે તે યુદ્ધમાં લડ્યું છે. અત્યાર સુધીમાં રશિયાના 18 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે.યુક્રેનના સંરક્ષણ વિભાગે કહ્યું કે 18,000 રશિયન સૈનિકો માર્યા ગયા, પરંતુ રશિયાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, રશિયન રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું કે અમે યુદ્ધમાં ઘણું નુકસાન થયું છે. યુક્રેનના બુચામાં હુમલા બાદ માર્યા ગયેલા લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. રાહત ટીમના એક અધિકારીએ જણાવ્યું – અમે ઘરોમાંથી મૃતદેહોને બહાર કાઢી રહ્યા છીએ. એક મૃતદેહનાં માથામાં ગોળી મારી હતી. રોડ અને યાર્ડમાંથી પણ ઘણા લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

મૃત્યુઆંક એટલો વધારે છે કે મૃતદેહોનું રેન્ડમ પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે હાલ બોરોડિઆન્કા શહેરમાં યુદ્ધ દરમિયાન થયેલા હુમલાથી સર્જાયેલા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ શહેરની છે સ્થિતિ છે એ બુચા કરતાં પણ વધુ ભયાનક જોવા મળી રહી છે.ગુરૂવારે રાત્રે પોતાના એક સંબોધનમાં વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આજના સમયમાં ધરતી પર સ્વતંત્રતા માટે સૌથી ભયજનક રશિયા અને તેની સેના છે. જેનાથી માનવ સુરક્ષા પર પણ જોખમ છે. બુચાની સ્થિતિ જોયા પછી તો આ વાત વાસ્તવિક બની છે.

ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે બુચાની જેમ મારિયુપોલમાં પણ આવી બર્બરતા જોવા મળી છે. તેમણે સવાલો કર્યો હતો કે એ વખતે શું થશે જ્યારે દુનિયા જાણશે કે મારિયુપોલમાં રશિયન મિલિટરીએ શું કર્યુ હતું?યુરોપિયન યુનિયને રશિયા વિરુદ્ધ પાંચમા તબક્કાના પ્રતિબંધો માટે મંજૂરી આપી દીધી છે. આ દાવો કાઉન્સિલ ઓફ યુરોપમાં રહેલ ફ્રેન્ચ પ્રેસિડન્સીએ કર્યો છે. આ નવા પ્રતિબંધોમાં રશિયન જહાજો માટે ઈયુ પોર્ટ્સ બંધ કરવાની વાત પણ સામેલ છે. આ ઉપરાંત મોસ્કોને હાઈ ટેક પ્રોડક્ટ્સની નિકાસ પર પણ પ્રતિબંધ સામેલ છે.રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 44મો દિવસ છે. યુક્રેનના મારિયૂપોલમાં રશિયાએ ભારે તબાહી શરૂ કરી છે. અહીંના મેયરે જણાવ્યું કે શહેરમાં અત્યાર સુધીમાં 5000 લોકોના મોત નિપજ્યા છે. મેયર વાડિયમ બોઈચેંકોએ જણાવ્યું કે માર્યા ગયેલામાં 210 બાળકો છે.

તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે થયેલા વોટિંગમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી બહાર કરી દેવાયું છે. વોટિંગ દરમિયાન રશિયા વિરૂદ્ધ 93 અને પક્ષમાં 24 મત પડ્યા. ભારત સહિત 58 દેશોએ વોટિંગ કર્યું ન હતું. બૂચા એટેક પછી આજે UN જનરલ એસેમ્બલીની બેઠક મળી હતી. આ બેઠકમાં રશિયાને UNHRCથી બહાર કરવા માટે વોટિંગ કરાવવામાં આવ્યું હતું. UNHRCમાં કુલ 47 દેશ સામેલ છે.દોનેત્સકમાં બારવિંકોવ સ્ટેશનની પાસે રશિયા દ્વારા એરસ્ટ્રાઈક કરી હતી જેને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. યુક્રેનના મીડિયાના જણાવ્યા મુજબ આ ટ્રેનથી હજારોની સંખ્યામાં લોકો આ વિસ્તારમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ આજે નાટો હેડક્વાર્ટરમાં કહ્યું કે અમને જેટલા વધુ હથિયાર મળશે અને તે જેટલા ઝડપથી યુક્રેન પહોંચશે તેટલા જ જીવ અમે બચાવી શકીશું. શહેરો તેમજ ગામડાંઓ બરબાદ નહીં થાય. તેમજ બીજું બૂચા પણ નહીં બને. તેમને આ પહેલા કહ્યું હતું કે ડોનાબાસમાં ચાલી રહેલું યુદ્ધ બીજા વિશ્વ યુદ્ધ જેવું બની શકે છે. તો બીજી બાજુ યુક્રેનની સેનાએ કહ્યું કે રશિયા ફરી એક વખત કીવ પર કબજો મેળવવાના પ્રયાસમાં છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે થયેલા વોટિંગમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી બહાર કરી દેવાયું છે.

Read About Weather here

ભારત, યુક્રેનમાં રશિયાના હુમલાની નિંદા કરવાના તમામ પ્રસ્તાવ અંગે UNSCમાં થયેલા વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યું. ગત મહિને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું હતું- અમે સંયુક્ત રાષ્ટ્રમાં સાવધાનીપૂર્વક એવું વલણ અપનાવીએ છીએ જે વિચારો પર આધારિત હોય છે. અમે નિંદા પ્રસ્તાવ પર વિચાર જરૂરથી કરીશું પરંતુ અમારા હિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લઈશું.વોટિંગ દરમિયાન રશિયા વિરૂદ્ધ 93 અને પક્ષમાં 24 મત પડ્યા. ભારત સહિત 58 દેશોએ વોટિંગ કર્યું ન હતું. બૂચા એટેક પછી આજે UN જનરલ એસેમ્બલીની બેઠક મળી હતી. આ બેઠકમાં રશિયાને UNHRCથી બહાર કરવા માટે વોટિંગ કરાવવામાં આવ્યું હતું. UNHRCમાં કુલ 47 દેશ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here