આ જીતથી પ્લેઓફમાંથી બહાર થઈ ગયેલા મુંબઈના ખેલાડીઓને કદાચ એ વાતનો સંતોષ થયો હશે કે તેઓએ લીગનો અંત જીત સાથે કર્યો, પરંતુ RCBના ખેલાડીઓ તેમની જીતથી સૌથી વધુ ખુશ થયા હતા. IPL 2022ની 69મી મેચમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું હતું. કારણ કે જો દિલ્હી આ મેચ જીતી ગયું હોત તો RCB પ્લેઓફમાં ન પહોંચી શક્યું હોત. તેવામાં હોટલના રૂમમાં ટીવી પર મેચ જોઈ રહેલા બેંગ્લોરના ખેલાડીઓ મુંબઈની જીત સાથે જ ઉછળી ગયા અને નાચવા લાગ્યા હતા.કોહલીએ GT સામે 54 બોલમાં 74 રન કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
તે જ સમયે, ડુ પ્લેસિસે 38 બોલમાં 44 રન કર્યા હતા. આ કારણે કોહલી અને ડુપ્લેસીસ પણ તેમની ખુશીને રોકી શક્યા નહીં. બંને એ આ મેચ પહેલા એમ પણ કહ્યું હતું કે તે મુંબઈની જીત માટે પ્રાર્થના કરશે.જેવી રીતે આ મેચ દિલ્હી માટે મહત્ત્વની હતી એવી રીતે જ આ મેચના પરિણામે બેંગ્લોરની આશાઓ પણ જીવંત રાખી હતી. પ્લે-ઓફ માટે ત્રણેય ટીમો નક્કી થઈ ચૂકી હતી. ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે ટોપ-3માં રહીને તેમની ટિકિટ પાક્કી કરી લીધી હતી.
Read About Weather here
તેવામાં ચોથી ટીમનો નિર્ણય આ મેચ બાદ જ થવાનો હતો.બેંગલુરુએ તેમની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને તેમની પ્લેઓફની આશા જીવંત રાખી હતી. પરંતુ આરસીબીનું ભાગ્ય મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં હતું. આ કારણે RCBના સમગ્ર ટીમ મેનેજમેન્ટની નજર આ મેચ પર હતી.જ્યારે MI તેમની છેલ્લી મેચ જીત સાથે પૂરી કરશે ત્યારે જ તે પ્લે-ઑફમાં પહોંચશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here