આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે. દિલ્હીમાં શુક્રવારે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. મૃતકોમાં ફાયર સ્ટાફના બે કર્મચારીનો પણ સમાવેશ થાય ચે. 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 19 લોકો હજુ લાપતા છે. પોલીસે બિલ્ડિંગના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી લીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
![બ્રેકિંગ ન્યુઝ આગમાં 27 લોકોના મોત આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આગ લાગવાની જાણ શુક્રવાર સાંજે 4.40 વાગ્યે મળી હતી. સાત કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે રાતના 12 વાગ્યે ફરી આગ લાગી હતી. જેને ત્યાં હાજર ફાયર સ્ટાફે કાબૂ કરી લીધી હતી. રેસ્ક્યૂ ટીમે બિલિડંગના કાચ તોડીને લોકોને બચાવ્યા હતા. રાત્રે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં ઘણી કંપનીની ઓફિસો હતી. અહીં લગભગ 150 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા.
![બ્રેકિંગ ન્યુઝ આગમાં 27 લોકોના મોત આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
જેનાથી ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. 100 લોકોની ટીમને તહેનાત કરાઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાસ્થળની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો હતો.
![બ્રેકિંગ ન્યુઝ આગમાં 27 લોકોના મોત આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here