પાકિસ્તાનની મનની મનમાં રહી ગઇ

પાકિસ્તાનની મનની મનમાં રહી ગઇ
પાકિસ્તાનની મનની મનમાં રહી ગઇ

તાલીબાનોની હવે ડાહી ડાહી વાતો

કાશ્મીર ભારતનો આંતરીક મામલો અને દ્વિપક્ષી પ્રશ્ર્નો: તાલીબાનોની નવી નેતાગીરીનું વલણ

જમ્મુ અને કાશ્મીરને ભારતની આંતરીક બાબત અને દ્વી પક્ષી મુદ્ો ગણાવીને તાલીબાનની નવી નેતાગીરીએ ભારત સહિત વિશ્ર્વને સુખદ આશ્ર્ચર્યનો આંચકો આપ્યો છે અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

તાલીબાનના સુત્રો સાથે સંકળાયેલા જાણકારોએ દર્શાવ્યું છે કે, કાશ્મીર અંગે તાલીબાનોએ એમનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે અને તેઓ કાશ્મીરના મુદ્ા પર કોઇ ધ્યાન આપવા માંગતા નથી એવી શકયતા છે.

આ રીતે કાશ્મીર બાબતમાં તાલીબાનોનું વલણ અગાઉના અભિગમ કરતા જુદુ જોવા મળ્યું છે. દરમ્યાન ભારતે પાકિસ્તાનના લાહોર શહેરમાં મહારાજા રણજીતસિંઘની પ્રતિમાની તોડફોડ સામે ચિંતાની લાગણી વ્યકત કરી હતી. પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી જૂથ તહેરીકનાં કટ્ટર વાદીઓ દ્વારા પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં તાલીબાનો સામે પંજસીર ખીણમાંથી નવો પડકાર ઉભો થયો છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનનો એક માત્ર એવો પ્રાંત છે જેના પર રશિયા કે અમેરીકા કોઇ કાબુ કરી શકયું નથી.

Read About Weather here

પંજસીલ રેલીના અમરૂલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના નવા રખેવાડ રાષ્ટ્ર પ્રમુખ તરીકે ધોષીત કરી દીધા છે. આ રીતે પંજસીર ખીણમાંથી તાલીબાનો સામે અવાજ ઉઠયો છે જે તાલીબાનો માટે ભય જનક બની શકે તેમ છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here