દયાભાભી’એ પરત ફરવા એપિસોડ દીઠ 15 લાખ રૂપિયા માગ્યા..!

દયાભાભી'એ પરત ફરવા એપિસોડ દીઠ 15 લાખ રૂપિયા માગ્યા..!
દયાભાભી'એ પરત ફરવા એપિસોડ દીઠ 15 લાખ રૂપિયા માગ્યા..!
સમયાંતરે દિશા વાકાણી શોમાં પરત ફરશે તેવી ચર્ચા હતી. જોકે, હજી સુધી તે પરત ફરી નથી. હવે એવી ચર્ચા છે કે દિશા વાકાણી શોમાં પરત ફરવા તૈયાર છે, પરંતુ તેણે બે શરતો મૂકી છે. મેકર્સ આ શરતો માને એટલે દિશા સિરિયલમાં તરત જ પાછી આવશે.લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દિશા વાકાણી થોડાં વર્ષના બ્રેક બાદ શોમાં પરત ફરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો 2008માં શરૂ થયો હતો. અત્યાર સુધી આ શોના 3000થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

સિરિયલના દરેક પાત્રો ચાહકોને ઘણાં પસંદ છે. સિરિયલમાં દયાબેન તથા જેઠાલાલ ચાહકોને ખાસ ગમે છે. જોકે, દયાબેન બનતી દિશા વાકાણી 2017થી શોમાં જોવા મળતી નથી. આ સમાચાર સામે આવતા જ ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે. જોકે, દિશાએ શોમાં પરત ફરવા માટે મસમોટી રકમ માગી છે.રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે, હજી સુધી દિશા વાકાણી તથા મેકર્સ તરફથી આ વાત પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વાઇરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે ઘરની અંદર જેઠાલાલ જોવા મળે છે. તે કહે છે, ‘એ રૂક, ભાગતી કિધર હૈ?’ ત્યારબાદ બાપુજી (અમિત ભટ્ટ)નો સીન આવે છે અને તે પણ ક્યાંક જવાની તૈયારી કરતા હોય તેમ જોવા મળે છે. આ વીડિયો ચાહકોને ઘણો જ ફની લાગ્યો હતો. આ વીડિયો ક્લિપ ઘણી જ નાની છે. જોકે, વીડિયો વાઇરલ થતાં જ ચાહકો ચર્ચા કરવા લાગ્યા કે જેઠાલાલ જ્યારે આ રીતે કોઈની પાછળ ભાગે છે તો તે દયાભાભી જ હોય છે.’તારક મહેતા…’માં દિશા વાકાણી 2017થી જોવા મળતી નથી. દિશા વાકાણી સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરે છે.

જેઠાલાલ તથા દયાભાભીની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવતી હતી. બંને વચ્ચેનો મીઠો ઝઘડો અને ગુસ્સો ચાહકોને ગમતો હતો. હાલમાં જ શોની બિહાઇન્ડ ધ સીન વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જોઈને ચાહકોમાં ચર્ચા થવા લાગી કે સિરિયલમાં દયાભાભી પરત ફરશે? વાઇરલ વીડિયોમાં દિલીપ જોષી તથા દિશા વાકાણી બંને કોરિયોગ્રાફરની સાથે ડાન્સ સ્ટેપનું રિહર્સલ કરતા જોવા મળ્યા હતા.

Read About Weather here

જોકે, દિશાએ આ અંગે હજી સુધી કંઈ જ કહ્યું નથી.દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે, જોકે સપ્ટેમ્બર, 2017થી તે શોમાં આવી નથી. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. જોકે સિરિયલના મેકર તથા દિશા વાકાણીએ આ અંગે કંઈ જ કહ્યું નથી. સિરિયલના મેકર્સે હજી સુધી નવાં દયાભાભી અંગે કોઈ જ વાત કરી નથી.દિશા વાકાણીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હાલમાં જ દિશાની બેબી બમ્પ દેખાતો હોય તેવી તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરો જોઈને ચાહકો અટકળ કરવા લાગ્યા કે દિશા વાકાણી બીજીવાર પ્રેગ્નન્ટ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here