પ્રાપ્ત વિગતો મુજબ જસદણના બજરંગનગર વિસ્તારમાં રહેતાં પટેલ મનુભાઈ ગોરધનભાઈ વેકરિયા (ઉ.વ. 56) રવિવારે સવારે પોતાનું બાઇક લઈ પોતાની વાડીએ જતાં ગઢડિયારોડ પહોંચતા હરિ નમકીન કંપનીના ટ્રકએ અચાનક હડફેટે લેતાં મનુભાઈનું ઘટના સ્થળે મોત નિપજેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ 108 એમ્બુલન્સ દ્વારા મૃતદેહને પી.એમ અંગે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા સહિતના પટેલ સમાજના આગેવાનો દોડી ગયાં હતાં.
Read About Weather here
મૃતક મનુભાઈના ભાઈ મુકેશભાઈ ગોરધનભાઈ વેકરિયાએ અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાઈક ચાલકનું મોત થતાં ના આ બનાવથી જસદણ પટેલ સમાજમાં શોકની કાલીમાં છવાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here