ઉપલેટામાં શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા સહયોગથી ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. નગરપાલિકાના પ્રમુખ મયુરમાઈ સુવા તથા જયેશભાઈ ત્રિવેદીએ જણાવેલ કે, આ કાર્ડ કઢાવનારની ઉંમર 16 થી 60 વર્ષની હોવી જોઈએ, શ્રમિકો આવક વેરો ચુકવતા ન હોવા જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
તેમજ પી.એફ., ઈ.એસ. આઈ.સી. હેઠળ આવતા ન હોવા જોઇએ, આ શ્રમિક કાર્ડ પશુપાલન આશા વર્કર, આંગણવાડી વર્કરા, ખેત શ્રમિકો, વેલ્ડીંગ કામ કરનાર, હેર ડ્રેસીંગ કરનાર, લોન્ડ્રી કામ કરનાર, માટી કામ કરનાર, રીક્ષા વાહન ચાલક, દરજી કામ કરનાર, બાંધકામ કામદારો, શાકભાજી વેચનાર, લારી-ગલ્લા વાળા, સફાઈ કામદાર જેવા તમામ વ્યવસાયી આ કાર્ડ કઢાવી શકશે.
Read About Weather here
શહેર-તાલુકા તથા જીલ્લાના તમામ લોકો કેમ્પનો લાભ લઇ શકશે. આ કેમ્પનો લાભ લેવા માટે 09-01-2022 ને રવિવારે ભગવતસિંહજી ક્ધયા શાળ, બાપુના બાવલા ચોક-ઉપલેટા ખાતે સવારે 9:30 વાગ્યેથી પહોંચી જવા જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here