આપાગીગાનો ઓટલો દ્વારા ફરસાણનો જન સેવા યજ્ઞ

આપાગીગાનો ઓટલો દ્વારા ફરસાણનો જન સેવા યજ્ઞ
આપાગીગાનો ઓટલો દ્વારા ફરસાણનો જન સેવા યજ્ઞ

રાજકોટમાં 1 કિલ્લો ચોખ્ખા ઘી નો ડ્રાયફ્રૂટ વાળો મોહનથાળ અને દોઢ કિલો ફરસાણનું માત્ર રૂ. 100 માં અપાશે

મુખ્યમંત્રીએ આયોજનને આવકારી શુભેચ્છા પાઠવી: વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ

દરેક લોકોને N-95 માસ્ક ને સેનેટાઈઝરની (100 Ml) બોટલનું નિ:શુલ્ક વિતરણ કરાશે

ગુજરાત સહીત ભારતભરમાં સુપ્રસિધ્ધ આપાગીગાનો ઓટલો (ચોટીલા) તેમજ જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત  અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) સંચાલીત જીવરાજગૃપ દ્વારા જનમાષ્ટમીમાં સર્વે સમાજના લોકો માટે અત્યંત રાહત દરે ફરસાણ ચોખ્ખા ઘીના ડાયફુટવાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકીનનું ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.

કોરોના અને મંદીના માહોલમાં લોકો ઉત્સાહથી તહેવારો ઉજવી શકે તે માટે જનમાષ્ટમીએ આપાગીગાનો ઓટલો અને જીવરાજગૃપ દ્વારા જન આશીર્વાદથી જનસેવા યજ્ઞ યોજાયેલ છે. ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના યુવાનો, ભાઇઓ, વડીલો સહિત 300 કાર્યકર્તાઓ દ્વારા સર્વે સમાજની સેવા માટે તેમજ ઉભરતા આશાસ્પદ યુવા જનસેવક અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી અને તેમના સાથી સેવાભાવી યુવાનો સમગ્ર આયોજનની તડામાર તૈયારીઓ કરી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને  જીવરાજગૃપના ચેરમેન નરેન્દ્રભઇ સોલંકી તેમજ અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા રૂબરૂ મુલાકાત કરી અને જનમાષ્ટમી નિમિતે આપાગીગાના ઓટલા દ્વારા તેમજ જીવરાજગૃપ દ્વારા સમગ્ર સમાજ માટે કોઇપણ જાતના જ્ઞાતિ- જાતના ભેદભાવ વગર દરેક લોકોને જનમાષ્ટમી પોતાના ઘરે ઉજવી શકે

તે માટે શુધ્ધ ઘીનો ડ્રાયફુટવાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકીનનું ફરસાણ વિતરણ અંગે વાકેફ કરતા કરતા મુખ્યમંત્રી પર વિજયભાઇ રૂપાણી દ્વારા ખુશી વ્યકત કરવામાં આવેલ હતી અને જણાવેલ હતુ કે, પંડીત દિનદયાળજીના એકાત્મ માનવવાદને અનુસરી અને છેવાડાના માનવી સુધી આપના દ્વારા જે સેવાની ભાવના છે. તે ખુબજ ઉતમ તેમજ અભીનંદનીય છે. તેમજ આ સેવા યજ્ઞનો લાભ લેવા માટે દરેક લોકોને અનુરોધ કરેલ હતો.

જાહેર જીવનમાં નરેન્દ્રભાઇ સોલંકી તરીકે જાણીતા તેમજ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ જણાવે છે કે, આ સંસ્થા દ્વારા જનમાષ્ટમી પૂર્વે બે દિવસ અલગ-અલગ સ્થળોએ ફકત અને ફકત ટોકન દરે શુધ્ધ ઘીનો ડ્રાયફટ વાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકીનનું ફરસાણ વિતરણ થશે. 500 ગ્રામ ભાવનગરી ગાંઠીયા, 500 ગ્રામ તીખા ગાંઠીયા, 500 ગ્રામ ચવાણુ અને શુદ્ધ ઘીનો ડ્રાયફુટ વાળો 1 કિલો મોહનથાળ મળીને કુલ અઢી કિલો વસ્તુ માત્ર રૂા.100 માં આપવામાં આવશે. જેની આશરે કુલ બજાર કિંમત રૂા. 600 થી વધુ થાય છે. અલગ– અલગ 4 પેકીંગથી અઢી કિલો વસ્તુઓની કીટ બનાવવામાં આવેલ છે. ઇશ્વરે આપેલા સુખની સમાજમાં વહેંચણી કરવી તેવો અમારા પરમ પૂજય સદ્દ ગુરૂદેવ જીવરાજબાપુ ગુરુ શામજીબાપુનો જીવન ઉપદેશ છે.

કિટ વિતરણનો પ્રારંભ આગામી તા. 26 ગુરૂવારે સવારે 8 વાગ્યાથી કરવામાં આવશે. તે દિવસ તીથી મુજબ સદ્દગુરુ દેવ કૃપાસિંધુ સંત જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુનો નિર્વાણ દિન છે. તેમના મૃતિ દિને જ આ ઐતિહાસીક જનસેવા યજ્ઞ થાય તેને શિષ્ય પરિવાર પોતાનું ખુબ જ મોટુ સદ્દભાગ્ય સમજે છે. કોઇપણ જાતના ભેદભાવ વગર સર્વે સમાજના લોકોને લાભ લેવા માટે સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે. આશરે 12000 કિલો આસપારા શુધ્ધ ઘીનો ડ્રાયફુટ મોહનથાળ તેમજ ૧૮૦૦૦ કિલો ગોપાલનમકીનનું ઉચ્ચ ગુણવતાયુકત ફરસાણનુ વિતરણ કરવામાં આવશે.

Read About Weather here

તેમજ આ સાથે આવનાર દરેક વ્યકિતને N- 95  નું માસ્ક અને સેનેટાઇઝરની એક બોટલનું પણ આ સાથે ફ્રી વિતરણ કરવામાં આવશે. તેમજ એક પરિવારને એક જ કિટ આપવામાં આવશે. જેથી વધુમાં વધુ પરીવાર સુધી આ સેવા યજ્ઞનો લાભ પહોંચી શકે. નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યુ છે કે, સ્થળ પર દરેક લાભાર્થીને સરળતાથી લાભ મળી રહે તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવશે.(૬.૧૨)

  • વિતરણ વ્યવસ્થાનું સમયપત્રક

તા.26 ને ગુરૂવારે સવારે 8 થી સાંજે 7 સુધી, નરેન્દ્રભાઈ સોલંકી તેમજ અશોકભાઈ એન સોલંકીની ઓફીસ, ગોપીનાથ કોમ્પ્લેક્ષ, ગાયત્રીનગર મેઈન રોડ, છેલ્લા બસ સ્ટોપ સામે તેમજ તા.27 ને શુક્રવારે સવારે 8 થી સાંજનાં 7 સુધી નરેન્દ્રભાઈ સોલંકીના નિવાસ સ્થાન, શ્રી જીવરાજ ભુવન, જીવરાજપાર્ક, અંબીકા ટાઉનશિપ અંદર, રાજકોટ ખાતેથી વિતરણ કરવામાં આવશે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here