અદાણી મુંદ્રા પોર્ટ પર 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરવામાં આવી હેન્ડલ

અદાણી મુંદ્રા પોર્ટ પર 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરવામાં આવી હેન્ડલ
અદાણી મુંદ્રા પોર્ટ પર 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરવામાં આવી હેન્ડલ
અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અદાણી મુંદ્રા પોર્ટ પર 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરવામાં આવી છે. પોર્ટના મેનેજમેન્ટે આ સિદ્ધિ પાછળ ટીમની મહેનત અને સમર્પણને શ્રેય આપ્યો છે.ઉત્તમ પોર્ટ સર્વિસિસ પૂરી પાડવાની ટીમની પ્રતિબદ્ધતાએ પોર્ટની પ્રતિષ્ઠા વધારવા અને તેના ગ્રાહકોને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સીમાચિહ્ન હાંસલ કરવું સરળ કાર્ય નથી. તેના માટે ઝીણવટપૂર્વકનું આયોજન, કાર્યક્ષમ પ્રણાલી અને વિવિધ સ્ટેકહોલ્ડર વચ્ચે અસરકારક સંકલનની જરૂર છે. પોર્ટે તેની ઓપરેશનલ ક્ષમતાઓને વધારવા માટે ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોમાં વખતો વખત ભારે રોકાણ કર્યું છે. ઓપરેશન ટીમે જટિલ અને પડકારજનક પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે સખત તાલીમ પણ લીધી છે.

અદાણી પોર્ટની સિદ્ધિ તેના ગ્રાહકોને વિશ્વ કક્ષાની સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પોર્ટનું અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર ભારતના વિકસતા દરિયાઈ ઉદ્યોગ અને વિકાસનું પ્રતિબિંબ છે. ભારતના વેપાર અને અર્થતંત્ર માટે મોટા પ્રમાણમાં કાર્ગો અને જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા નિર્ણાયક છે.

Read About Weather here

મુન્દ્રાપોર્ટ પર મેનેજમેન્ટ અને ટીમ માત્ર રેકોર્ડ તોડવાથી સંતુષ્ટ નથી. તેઓ દેશના વિકાસ માટે જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંદરિય સેવાઓ અને સુવિધાઓને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે.અદાણી મુન્દ્રા પોર્ટની માત્ર 24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની સિદ્ધિ એ એક નોંધપાત્ર સિદ્ધિ છે જે પોર્ટની ઓપરેશનલ ક્ષમતાઓ અને કાર્યક્ષમતા દર્શાવે છે. આ બંદર, તેની ટીમ અને દેશના દરિયાઈ ઉદ્યોગ માટે ગર્વની ક્ષણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here