સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચોટીલા હાઈલે પરની ક્રિષ્ના હોટલ નજીક પિક વાનનો ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનુ મોત થયો છે જ્યારે 10થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે.માહિતી અનુસાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોનો અકસ્માત નડ્યો છે. જો કે, તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

Visit Saurashtra Kranti Homepage here
આ ગમખ્વાર અકસ્માતમાં પીકઅપવાનના કુચે કુચા ઉડી ગયા છે. તેમજ રોડ નીચે ઉતરીને પલટી મારી હતી જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
કમકમટી ભર્યા અકસ્માતથી સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પીકઅપ વાનના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here