શ્રી સીતારામ ગૌશાળા અને અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ 7 મો સમૂહલગ્ન મહોત્સવ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા.17 ને રવિવારે સહકાર મેઈનરોડના છેડે સિંદોરિયા ખાણ,અવધપુરી રામજીમંદિર ખાતે કરેલ છે.જેમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરિયાવર રૂપે 101 નાની મોટી વસ્તુઓ દીકરીઓને આપવામાં આવશે.તદુપરાંત 11 દીકરીઓના ભવિષ્યના લાભાર્થે આકસ્મિક રૂ.1 લાખની વીમા પોલીસી પણ આપવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
થેલેસેમિયાથી પીડાતા બાળકો તથા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી મળી રહે તેવા શુભ આશયથી રકતદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે. તેમાં સહભાગી એવા કનૈયા ગુ્રપ, બેડીપરા તથા બડા બજરંગ ફાઉન્ડેશનનો સાથ-સહકાર મળનાર છે.
Read About Weather here
આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે પ.પૂ.મહંત બાલકદાસબાપુ દેવમુરારી તથા ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ પ્રવિણભાઈ દેવમુરારી, મહિલા પ્રમુખ કલ્પનાબેન રામાવત, પ્રભુદાસભાઈ મારૂ, વિપુલભાઈ દેવમુરારી, નિખિલભાઈ નિમાવત, રાજનભાઈ દેવમુરારી, વનિતાબેન દેવમુરારી, કાનાભાઈ કુબાવત, વિજયભાઈ પુનવાણી જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ કૌશિકભાઈ દેવમુરારીએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here