ભૂતિયા નળ કનેકશનો ધરાવનાર પાસેથી પાણી દર વસુલવા મ્યુ.કમિશનરનો આદેશ

રાજકોટ મનપાના બજેટ માટે લોક સૂચનો મંગાવતા કમિશનર અમિત અરોરા
રાજકોટ મનપાના બજેટ માટે લોક સૂચનો મંગાવતા કમિશનર અમિત અરોરા

મિલકત વેરા નંબર સાથે લીંક નહી થયેલ નળ કનેક્શનોના બાકી પાણી દર વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે

મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2022-23 ના મિલકત વેરા વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મિલકત વેરાની સાથોસાથ પાણી દરની રકમ ભરવાની બાકી હોય તેવા અનલીંક નળ કનેક્શન અંગેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આદેશ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ કુલ-57,780 અનલીંક નળ કનેક્શનોના પાણી દરના માંગણાની વસુલાત બાકી છે, જે પૈકી 25406 અનલીંક નળ કનેક્શનો એવા છે જેની દરેકની રૂ.25000 થી વધારે રકમની પેન્ડીંગ માંગણાની વસુલાત કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જ્યારે રૂ. 5,000 કે તેથી વધુ રકમનો પાણી દર ભરપાઈ કરવાનો બાકી હોય તેવા અન્ય કનેક્શનોને પણ આ ઝુંબેશમાં આવરી લેવામાં આવનાર છે.

આ નળ કનેક્શનો મિલકત વેરા નંબર સાથે લિંક થયેલ ન હોઈ બાકી વેરાની સાથે વેરા વસુલાત શાખા દ્વારા મિલકત વેરા સાથે વસુલાત થઇ શકતી નથી. જે વસુલાત માટે અલગથી આયોજન કરવું અત્યંત આવશ્યક જણાય છે. આથી રૂ.25,000 થી વધુ પાણી દર બાકી હોય તેવા કુલ-25,406 નળ કનેકશનોની વસુલાત કરવા માટે ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરના સીધા નિયંત્રણ અને સુપરવિઝન હેઠળ લગત ઝોનના વોર્ડ એન્જીનીયર મારફત કામગીરી સુપ્રત કરવા કમિશનર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

આ કામગીરી 31 માર્ચ, 2023 સુધી કરવાની રહેશે તેમજ વધુમાં વધુ રીકવરી થાય તે મુજબનું લગત વોર્ડમાં આયોજન કરી સંબંધિત વોર્ડના વોર્ડ એન્જીનીયર તેઓના તાબા હેઠળના એ.ઇ./એ.એ.ઇ. અને વર્ક આસીસ્ટન્ટ મારફત કરાવવામાં આવનાર છે.આ ઝુંબેશ દરમ્યાન સ્થાનીકે અનલીંક કનેક્શન વસુલાત દરમ્યાન સંબંધિત નળ કનેક્શનને લગત મિલકતના મિલકત નંબર તેમજ મોબાઇલ નંબર મેળવવામાં આવશે.

Read About Weather here

સ્થાનિકે નળ કનેકશન હયાત ન હોય તેવા કિસ્સામાં ક્નેકશન રદ્દ કરવા માટે જરૂરી કાર્યવાહી કરી નળ કનેકશન કઈ તારીખથી રદ કરવા પાત્ર છે તે સ્પષ્ટ માહિતી સાથેનો સક્ષમ અધિકારીનો હુકમ કરી તેની નકલ સંબંધીત વોર્ડ ઓફિસે આપવામાં આવશે. સ્થાનિકે વધારાનુ નળ કનેક્શન જોવા મળે તો તે કનેકશનની સાઇઝ અને જો કનેક્શન રેગ્યુલરાઇઝ કરવાનું થતું હોય તો તે મુજબ રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી જે તે વોર્ડના વોર્ડ ઓફિસરના સંકલનમાં રહીને કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here