આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના કોઠારીયા રોડ પર રામેશ્વર સોસાયટીમાં નાલંદા સ્કૂલ પાસે રહેતાં બિંદુબેન વિનોદભાઇ મકવાણા (ઉ.વ.58) નામના મહિલાએ ગઇકાલે સવારે ભક્તિનગર સોસાયટીમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા બગીચામાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. રાજકોટમાં વિચારવાયુથી પીડિત પરિણીતાએ ભક્તિનગર સોસાયટીમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા બગીચામાં ઝેરી દવા ગટગટાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેને પગલે પરિવારજનો દ્વારા પરિણીતાને સિવિલ હોપિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત નીપજયું હતું.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
Read About Weather here
આપઘાત કરનાર બિંદુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ વિનોદભાઇ નિવૃત જીવન જીવે છે. તેમણે જણાવ્યું હતું કે, પત્નિને વિચારવાયુની બિમારી હોઇ સિવિલ હોસ્પિટલમાં સતત તેર દિવસ સુધી દાખલ રખાયા હતાં. ત્યાં ગઇકાલે સવારે ઘરેથી નીકળી ગયા હતાં અને બગીચામાં ઝેરી દવા પી લીધી હતી.બે દિવસ પહેલા જ ત્યાંથી રજા અપાઇ હતી અને આજે મંગળવારે ફરીથી સિવિલમાં બતાવવા જવાનું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here