ખાદ્ય પદાર્થો જ નહીં, પણ જીવનજરૂરિયાતની કોમોડિટીની ચીજવસ્તુઓની સતત વધતી કિંમતોથી એ આમ આદમીની પહોંચની બહાર થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાંક નવાં ઉત્પાદનો અને કેટલીક ચીજવસ્તુઓ અને સર્વિસ પર GSTના દરો ૧૮ જુલાઈથી વધી જશે. જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે હવે આમ આદમીએ વધુ નાણાં ખર્ચવા પડશે, GSTના ૪૭મી બેઠક પછી નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ માહિતી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
૧૮ જુલાઈથી પ્રી-પેકેજડ લેબલવાળાં કૃષિ ઉત્પાદનો જેવાં કે પનીર, લસ્સી, છાસ, પેકેજડ દહીં, ઘઉંનો લોટ, અન્ય અનાજ, મધ, પાપડ. માંસ, માછલી (ફ્રોઝન સિવાય) મમરા અને ગોળ જેવી પ્રોડક્ટ મોંઘી થઈ જશે- એટલે કે આના પરનો ટેક્સનો દર વધારવામાં આવ્યો છે. ચેક બુક જારી કરવા બેન્કોની તરફથી લેવામાં આવતી ફીસ પર ૧૮ ટકા GST લાગશે.હોસ્પિટલમાં રૂ. ૫૦૦૦ (નોન-ICU)થી વધુ ભાડાના રૂમ પર પાંચ ટકા GST લાગશે.
Read About Weather here
હોટલોમાં પ્રતિ દિન રૂ. ૧૦૦૦થી ઓછા ભાડાના રૂમ પર હવે ૧૨ ટકા GST લાગશે.LED લાઇટ્સ, LED લેમ્પ પર ૧૮ ટકા GST લાગશે, જે પહેલાં નહોતો લાગતો.હાલમાં બ્રાન્ડેડ અને પેકેજડ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા GST લાગે છે, જેમાંની કેટલીક ચીજવસ્તુઓ પરનો GST વધારી દેવામાં આવ્યો છે. નીચેની કેટલીક મહત્ત્વની ચીજવસ્તુઓ પર GST વધારવામાં આવ્યો છે.ટેટ્રા પેકવાળા દહીં, લસ્સી અને છાસ પર ૧૮ જુલાઈથી પાંચ ટકા GST લાગશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here