જાહન્વીની ફિલ્મ ‘બવાલ’માં વિશ્વ યુદ્ધ 2નો સંદર્ભ આપવામાં આવ્યો છે, જ્યારે ફિલ્મની ટેગ લાઇન છે ‘દરેક પ્રેમ કથાનું પોતાનું યુદ્ધ હોય છે’. જાહન્વી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘બવાલ’ને કારણે ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન હાલમાં એક્ટ્રેસે કહ્યું કે તેમની માતા શ્રીદેવીને ગુમાવવી એ તેમના જીવનની સૌથી મોટી લડાઈ હતી. ખરેખર, જાહન્વીને પૂછવામાં આવ્યું કે તેમના જીવનની સૌથી મોટી લડાઈ કઈ હતી? તેના પર એક્ટ્રેસે તેમની માતાને યાદ કરતા કહ્યું કે 2018માં માતાનું મૃત્યુ જાહન્વીના જીવનની સૌથી મોટી લડાઈ હતી.

Read About Weather here
માતા ગુમાવવી એ જાહન્વીના જીવનની સૌથી મોટી જંગ હતી પિંકવિલા સાથેની વાતચીત દરમિયાન જાહન્વી એ કહ્યું, ‘મેં જ્યારે મારી માતાને ગુમાવી હતી ત્યારે હું ‘ધડક’નું શૂટિંગ કરી રહી હતી. મને લાગે છે તેમને ગુમાવવું અને તેમાંથી બહાર નીકળવું સૌથી મુશ્કેલ હતું. મારા માટે ફરીથી કામ કરવાની હિંમત એકત્ર કરવી મુશ્કેલ હતું, આ બધી બાબતોનો સામનો કરવાનો માર્ગ શોધવાનું મારા માટે મુશ્કેલ હતું. આ બધી બાબતોમાંથી બહાર આવવું એ મારા જીવનની સૌથી મોટી લડાઈ હતી.શ્રીદેવી 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈની એક હોટલના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
શ્રીદેવી પરિવાર સાથે તેના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગઈ હતી. જાહન્વી કપૂર અને ખુશી કપૂરને તેના આ રીતે જવાથી ખૂબ જ અસર થઈ હતી. આ ફિલ્મ દ્વારા તે પહેલીવાર વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય તે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને ‘બડે મિયાં છોટે મિયાં’માં પણ જોવા મળશે.જાહન્વી કપૂરની ફિલ્મ ‘બવાલ’ 21 જુલાઈ, 2023ના રોજ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here