શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિતે ગંગાસ્વરૂપ માતાઓ તથા જરૂરીયાતમંદ લોકોને ગત તા.1 જાન્યુઆરીના રોજ અડદીયા, મમરાના લાડવા, ચીકી, ખીચડી તથા ઘઉંનો લોટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશનભાઇ ટીલવા, રઘુવંશી અગ્રણી ભરતભાઇ લાખાણી, શોફટ કોમવાળા મહેશભાઇ તન્ના, અગ્રણી બિલ્ડર્સ ટીનાભાઇ ડાભી વગેરે મહેમાનોના હસ્તે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
આ માનવ સેવા કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટની આગેવાની હેઠળ કશ્યપ ભટ્ટ, પાર્થ દવે, દેવાંગ ભટ્ટ, ચિંતન રાચ્છ, જયમીલ પંડ્યા, ધર્મેશભાઇ રાઠોડ, પાવન શીશાંગીયા, સવજી બાપા, જયાબેન વાધેલા વગેરે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે.સંસ્થા દ્વારા આગામી પુરૂષોતમ માસમાં ગંગા સ્વરૂપ માતાઓ માટે તા.21-7 થી 31-7-2023 સુધી હરિદ્વાર ગંગા કિનારે 108 પોથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે (મો.99250 1888) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here